TMKOC: ભયંકર દેવામાં ડૂબી ગયા હતા 'તારક મહેતા...'ના આ કલાકાર, લેણદારોથી બચવા કર્યું હતું આ કામ

Taarak Mehta Ka Ooltah Chashmah: અભિનયની દુનિયામાં ડગ માંડતા પહેલા આ કલાકાર ખુબ જ દેવામાં ડૂબી ગયા હતા. લેણદારો પૈસા માટે પાછળ પડ્યા હતા. એવા સમયે તેઓ મુંબઈ આવી ગયા અને છ મહિના પછી તેમને તારક મહેતા સિરિયલમાં દમદાર ભૂમિકા ભજવવાની તક મળી. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

TMKOC: ભયંકર દેવામાં ડૂબી ગયા હતા 'તારક મહેતા...'ના આ કલાકાર, લેણદારોથી બચવા કર્યું હતું આ કામ

Roshan Singh Sodhi Life Struggle: ટીવી જગતના સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ લોકોનો મનપસંદ શો છે. આ કોમેડી સિરિયલ છેલ્લા લગભગ 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોની સ્ટારકાસ્ટ ભલે લાંબી લચક હોય પરંતુ લોકોને દરેક પાત્ર ખુબ ગમે છે અને તેમના હ્રદય પર રાજ કરે છે. આ શોમાં શરૂઆતથી જોડાયેલા કલાકારોમાંથી અનેક કલાકારોએ જો કે શોને અલવિદા કરી દીધી છે. શોના કલાકારો રીલ લાઈફમાં તો દર્શકોને ખુબ જ હસાવે છે પરંતુ અનેક કલાકારોના રીયલ લાઈફમાં એવી એવી ઘટનાઓ ઘટી છે જેને જાણીને તમે આઘાત પામશો. 

અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો
આવા જ એક કલાકાર છે ગુરુચરણ સિંહ જેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું. હતું. આ પાત્રમાં તેમણે જીવ રેડી દીધો હતો. દર્શકો આજે પણ તેમના અભિનયને યાદ કરે છે. ગુરુચરણ સિંહ પોતાના બિન્દાસ અંદાજથી ખુબ લોકપ્રિય થયા હતા. આજે ભલે તેઓ શોનો ભાગ નથી પરંતુ જ્યારે પણ રોશન સિંહ સોઢીનું નામ આવે ત્યારે દર્શકો સામે સૌથી પહેલા તો ગુરુચરણ સિંહનો ચહેરો જ આવે છે. લોકોને હસાવીને લોથપોથ કરી નાખતા ગુરુચરણ સિંહના જીવનમાં ડોકિયું કરીએ તો આ લોકપ્રિયતા મેળવ્યા પહેલા તેઓ ખુબ મુશ્કેલીઓમાં હતા. તેમણે મજબૂરીમાં મુંબઈ આવવું પડ્યું હતું. 

Taarak Mehta Ka Ooltah Chashmah: कर्ज में डूब चुके थे 'तारक मेहता' के रोशन सिंह सोढ़ी, कर्जदारों से बचने के लिए किया ये काम

'તારક મહેતા' સિરિયલ મળી
રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહે એકવાર પોતાના લાઈવ વીડિયોમાં જણાવ્યું હતું કે તેમના માથે ખુબ દેવું ચડી જતા તેઓ મુંબઈ આવ્યા હતા. લોકો પૈસા માંગવા માટે તેમની પાછળ પડ્યા હતા. ગુરુચરણ સિંહને જ્યારે ક્યાંયથી કોઈ રાહત ન મળી ત્યારે તેઓ મુંબઈ આવ્યા અને છ મહિનાની અંદર તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોલ મળ્યો હતો. 

આ Video પણ જુઓ...

બે વાર બદલાયા સોઢી
શોની શરૂઆતથી જ ગુરુચરણ સિંહ તેનો ભાગ હતા. વર્ષ 2013માં તેમણે શો છોડી દીધો. પરંતુ પબ્લિક ડિમાન્ડના કારણે તેઓએ 2014માં પાછું આવવું પડ્યું. છ વર્ષ બાદ 2020માં ફરીથી તેમણે શોને અલવિદા કરી દીધુ. આ વખતે તેમની જગ્યાએ બલવિન્દર સિંહ સૂરી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news