PHOTOS : ધામધૂમથી આર.કે. સ્ટુડિયોમાંથી છેલ્લીવાર બાપ્પાને અપાઇ વિદાઈ

ગણપતિ વિસર્જન વખતે રણબીર, રિશી, રણધીર અને રાજીવ કપૂર જોવા મળ્યા હતા

PHOTOS : ધામધૂમથી આર.કે. સ્ટુડિયોમાંથી છેલ્લીવાર બાપ્પાને અપાઇ વિદાઈ

મુંબઈ : ગઈ કાલે ગણપતિ વિસર્જન હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કપૂરપરિવારના આર. કે. સ્ટૂડિયોમાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી અને રવિવારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે રિશી કપૂર અને રણબીર કપૂર ગણેશજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. રણબીર છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગમાં બલ્ગેરિયામાં વ્યસ્ત હતો અને આ કારણે એ ગણેશપૂજામાં શામેલ નહોતો થઈ શક્યો. જોકે, ગણપતિ વિસર્જન વખતે તે બલ્ગેરિયાથી ભારત આવી ગયો હતો અને વિસર્જનમાં શામેલ થયો હતો. 

રાજ કપૂરના જમાનાથી આર.કે. સ્ટૂડિયોમાં કપૂરપરિવાર ઉત્સવો ઉજવતું આવ્યું છે. હવે જ્યારે રાજ કપૂર દ્વારા સ્થાપિત આ સ્ટુડિયો વેચવાનો નિર્ણય લેવાયો છે ત્યારે બની શકે કે આર.કે. સ્ટુડિયોમાં આ તેમનો છેલ્લો ગણેશોત્સવ હોય. 

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse) on

— ETimes (@etimes) September 23, 2018

છેલ્લે આર. કે. સ્ટુડિયોની ફ્લ્મિ આ અબ લૌટ ચલેં ફ્લ્મિનું શૂટિંગ થયું હતું. એ ફ્લ્મિ પીટાઈ જતાં આર. કે. બેનરમાં ફ્લ્મિો બનાવવાનું બંધ થઈ ગયું હતું. એ પછીથી આર.કે. સ્ટુડિયો લાંબા સમયથી મોટેભાગે ટીવી સીરિયલોના શૂટિંગ માટે જ વપરાતો હતો. કેટલીક ફ્લ્મિોના થોડાક ભાગનું શૂટિંગ અહીં થતું હતું. જેમ કે 2002માં આવેલી ફ્લ્મિ ‘રાઝ’ના ક્લાઈમેક્સના દ્રશ્યો અહીં ફ્લ્મિાવાયા હતા. શાહરૂખ ખાનની ‘હેપી ન્યૂ યર’ અને ‘જબ હેરી મેટ સેજલ’ના કેટલાક ભાગનું શૂટિંગ પણ અહીં થયું હતું. 2017ના સપ્ટેમ્બર મહિનામાં સ્ટુડિયોમાં સુપર ડાન્સર સીરીયલનું શૂટિંગ ચાલતું હતું એ વખતે અકસ્માતમાં સ્ટુડિયોનો ઘણો મોટો ભાગ સળગી ગયો. આ સંજોગોમાં રિપેરિંગ પછી આવક વધે એની કોઈ ખાતરી નહોતી અને એટલે કપૂર ભાઈઓએ હૈયા પર પથ્થર મૂકીને આર. કે. સ્ટુડિયો વેચવાનો નિર્ણય કરી લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news