#MeTooને સપોર્ટ કરનાર નંદિતા દાસના પિતા સામે જ લાગ્યો યૌન શોષણનો આરોપ

કાગઝનું પ્રોડક્શન કરનારી એક કંપનીની કો-ફાઉન્ડર મહિલાએ મંગળવારે દાવો કર્યો કે, ફેમસ ચિત્રકાર જતિન દાસે 14 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કર્યું હતું. દાસે આરોપોને અશ્લીલ ગણાવીને નકારી કાઢ્યા હતા. જતિન દાસ દેશમાં જોર પકડી ચૂકેલી #MeToo અભિયાન અંતર્ગત શોષણના આરોપોનો સામનો કરી રહેલા સોથી નવી ચર્ચિત હસ્તી છે. નિશા બોરા નામની મહિલાએ ટ્વિટર પર દાસ સાથે જોડાયેલી પોતાની ઘટનાની જાણકારી આપી હતી. 

#MeTooને સપોર્ટ કરનાર નંદિતા દાસના પિતા સામે જ લાગ્યો યૌન શોષણનો આરોપ

નવી દિલ્હી : કાગઝનું પ્રોડક્શન કરનારી એક કંપનીની કો-ફાઉન્ડર મહિલાએ મંગળવારે દાવો કર્યો કે, ફેમસ ચિત્રકાર જતિન દાસે 14 વર્ષ પહેલા તેમનું યૌન શોષણ કર્યું હતું. દાસે આરોપોને અશ્લીલ ગણાવીને નકારી કાઢ્યા હતા. જતિન દાસ દેશમાં જોર પકડી ચૂકેલી #MeToo અભિયાન અંતર્ગત શોષણના આરોપોનો સામનો કરી રહેલા સોથી નવી ચર્ચિત હસ્તી છે. નિશા બોરા નામની મહિલાએ ટ્વિટર પર દાસ સાથે જોડાયેલી પોતાની ઘટનાની જાણકારી આપી હતી. 

તેણે આરોપો લગાવ્યા કે, તે ત્યારે 28 વર્ષની હતી અને દાસે એક ડિનર કાર્યક્રમ દરમિયાન તેને પૂછ્યું હતું કે, ‘શું તેમના સામાનને વ્યવસ્થિત કરવા માટે તેની પાસે સમય અને ઈચ્છા છે ખરી’ ત્યારે મહિલાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો તો તેમણે કામના બીજા દિવસે ખિડકી ગામ સ્થિત પોતાના સ્ટુડિયોમાં તેનું યૌન ઉત્પીડન કર્યું હતું.

નિશાએ કહ્યું કે, તેમણે મને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હું તેમનાથી બચી નીકળી, ગુસ્સો બતાવ્યો. તેના બાદ પણ તેમણે ફરીથી એવું કર્યું. મેં તેમને ધક્કો આપ્યો અને તેમનાથી દૂર જતી રહી હતી. નિશાએ લખ્યું કે, તે સમયે જતિન દાસે કહ્યું હતું કે,  ‘અરે સારું લાગશે.’ મને યાદ છે કે જ્યારે હું પાછળ હટી રહી હતી ત્યારે તેમને આ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં મારો બગલથેલો ઉઠાવ્યો અને ઘર તરફ ભાગી ગઈ હતી. આ વિશે મેં ક્યારેય વાત નથી કરી, પણ હવે કરી રહી છું. 

બચ્ચન પરિવારમાં આવ્યું નવું મહેમાન, ઐશ્વર્યાએ ટ્વિટ કરીને આપી માહિતી

નિશાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું છે કે, બે દિવસ બાદ દાસની દીકરી અને ફેમસ ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર નંદિતા દાસે તેને ફોન કર્યો, અને પૂછ્યું કે, શું તે પોતાની જેમ બીજી કોઈ મહિલા સહાયક શોધવામાં તેમની મદદ કરી શકે છે.

નિશાએ કહ્યું કે, નંદિતાએ મને પોતાના વિશે જણાવ્યું અને કહ્યું કે, મારા પિતાએ મને તારો નંબર આપ્યો છે. આજે એ વ્યક્તિની બેશરમી પર મને અકળામણ થઈ રહી છે. જોકે, જતિન દાસે આ ઓરોપોને નકારતા કહ્યું કે, આજકાલ લોકોની વિરુદ્ધ આરોપ લગાવવાનો એક ખેલ ચાલી રહ્ય છે, જેનો હેતુ માત્ર મૌજ કરવાનો છે. તેમણે પોતાના પર લાગેલા આરોપોને અશ્લીલ બતાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના આરોપો બાદ સોશિયલ મીડિયા પર #MeToo કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. જેના અંતર્ગત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, મીડિયા, રાજનીતિ સાથે જોડાયેલ મહિલાઓ પોતાની સાથે થયેલ યૌન શોષણનું દર્દ વ્યક્ત કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ ડાયરેક્ટર રજત કપૂર, વિકાસ બહલ, એક્ટર આલોકનાથ, સિંગર કૈલાશ ખૈર, રાઈટર ચેતન ભગત, મંત્રી એમજે અકબર અને સુભાષ ઘઈ સહિત અનેક દિગ્ગજો પર યૌન શોષણના આરોપો લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news