સાબરકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત: 7નાં મોત 20 ઘાયલ

રાજ્યનાં હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી થાય છે. જેમ જેમ શહેરો વિકસતા જાય છે તેમ તેમ અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. ઉત્તરગુજરાતમાં મહેસાણા અકસ્માતની શ્યાહી સુકાઇ નથી ત્યાં સાંબરકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

સાબરકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત: 7નાં મોત 20 ઘાયલ

નવી દિલ્હી : રાજ્યનાં હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી થાય છે. જેમ જેમ શહેરો વિકસતા જાય છે તેમ તેમ અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. ઉત્તરગુજરાતમાં મહેસાણા અકસ્માતની શ્યાહી સુકાઇ નથી ત્યાં સાંબરકાંઠા નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સાબરકાંઠાનાં કુંડલા કંપા પાસે ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અન્ય વાહનને ઓવરટેક કરવા જઇ રહેલ જીપ અને ટ્રક સામ સામસામે આવી જવાનાં કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપમાં બેઠેલા પેસેન્જરો પૈકી 5નાં મોત નિપજ્યા હતા. જે પૈકી 3નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 4નાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 5ની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થાનિકો તથા તંત્ર દ્વારા સંયુક્ત બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે જીપનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઉપરાંત આસપાસ લોહીથી જમીન ખરડાઇ ગઇ હતી. પોલીસ દ્વારા હાલ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકોનાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news