અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના, 1 ઘાયલ

તહેવારની સિઝનમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને 4 લોકો થયા ફરાર

અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના, 1 ઘાયલ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનીઓ સામે આવી રહી છે. તેવામાં તહેવારોની સીઝનમાં જ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી અલ-આદાબ સોસાયટી પાસે શુક્રવારે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. રાત્રી દરમિયાન 4 જેટલા અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઇ છે.

Ahmedabad

ચાર લોકો ફાયરિંગ કરી થયા ફરાર
અમદાવાદમાં મોડી રાત્રે બનેલી ફાયરિંગની ઘટનામાં 4 લોકો ફરાર થઇ ગયા છે. આ ચાર લોકો દ્વાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી હતી. ફાયરિંગની ઘટનામાં મોઈનખાન નામનો એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. પોલીસે 
અઝહર કીટલી, સરફરાજ, શાહરુખ અને કાયમ નામના ચાર લોકો વિરદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે. વેજલપુર પોલીસ દ્વારા જણાવ્યા મુજબ આ ફાયરિંગ અંગત અદાવતમાં કરવામાં આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news