ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું

ગાંધીનગર ફોરમની મહાઆરતીમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે મહાઆરતીમાં દીવડા વડે ઘોડા પર બિરાજમાન માતાજીનું સ્વરૂપ બનાવાયું હતું. જેમાં 35 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. 

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે મહાઆરતી દરમિયાન જુદા-જુદા આકાર બનાવવામાં આવતા હોય છે. આ વર્ષે ઘોડા પર બિરાજમાન માતાજીનું સ્વરૂપ બનાવાયું હતું. 

મેદાનમાં તમામ લાઈટ્સ બંધ કરીને લોકો હાથમાં દીવડાં લઈને આ મહાઆરતી કરતા હોય છે. 

આ વર્ષે મહાઆરતીમાં લગભગ 35 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news