જૂનાગઢઃ ઓઝત નદીમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત

જન્માષ્ટમીની રજા હોવાથી ચારેય યુવાનો ફરવા માટે ગયા હતા. આ દરમિયાન નદીમાં ડૂબી જવાથી ચારેયના મોત થયા છે. 
 

જૂનાગઢઃ ઓઝત નદીમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત

જૂનાગઢઃ ઓઝત નદીમાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત થયા છે. તમામ મૃતદેહને ફાયર બ્રિગેડે નદીમાંથી બહાર કાઢ્યા હતા. હાલમાં ચારેય મૃતદેહોને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢના ગાંઠીલા પાસે ઓઝત નદી આવેલી છે. જેમાં ચાર યુવકો ડૂબ્યા બોવાની જાણ થતા ફાયર બ્રિગેટ અને પોલીસના કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ચારેય યુવકોના મૃતદેહ હાથ લાગ્યા હતા. 

જે ચાર યુવાનાના ડૂબી જવાથી મોત થયા છે તેમાં બે યુવાનો વંથલી અને બે જૂનાગઢના છે. જન્માષ્ટમીના તહેવારની રજા હોવાથી ચારેય યુવાનો ફરવા ગયા હતા. આ દરમિયાન ઓઝત નદીમાં ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે. 

આ ચાર યુવાનો અંકિત ત્રાબંડિયા, પારસ હિરાણી, નીશિત પંડ્યા અને હર્ષિલ ભટ્ટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news