ઇ-મેમો મામલે લેવાયો મોટો નિર્ણય, જાણીને લેશો રાહતનો શ્વાસ

પોલીસ દ્વારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. 

ઇ-મેમો મામલે લેવાયો મોટો નિર્ણય, જાણીને લેશો રાહતનો શ્વાસ

અમદાવાદ : પોલીસ દ્વારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના ગાંધીનગર, મોરબી તેમજ ભાવનગર જેવા નગરોમાં હાલમાં સીસીટીવી જનરેટેડ ઇ મેમો આપવામાં નહી આવે તેવો સરકારે નિર્ણય લીધો હતો. મળતી માહિતી પ્રમાણે કેટલીક વખત નિયમોનો ભંગ નહીં કરનારને પણ ઇ મેમો મળતા હોવાની ફરિયાદો મુખ્યમંત્રીને મળી હતી. લોકોને પડતી હાલાકી બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિર્ણય લીધો હતો. સરકારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં ઇ-મેમો ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી ચાર મહિનામાં આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે

હતી ઘણી ફરિયાદો
આ ઇ-મેમોની સિસ્ટમમાં કેટલી ટેકનીકલ ખામી હોવાના કારણે ખોટા ઇ-મેનોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો. હવે આ પ્રથા બંધ થતા અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ-મેમોની સમીક્ષા થશે અને લોકોને નાણાં ન ભરવા પડે એવો નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ સંજોગોમાં લાખો નાગરિકોને ઇ-મેમોથી દંડ ફટકારવામાં આવ્યો છે, પણ તે દંડ હવે વસુલાય નહીં તેવી શકયતા છે.

સરકારને પણ હતું નુકસાન 
સીસીટીવી કેમેરા દ્વારા ફોટા પાડીને વાહનચાલકોને તેમના ઘરે ઇ-મેમો મોકલવાની પદ્ધતિમાં સંખ્યાબંધ વાહનચાલકો મેમો ભરતા નથી. જેથી સરકારને દંડની પુરી આવક થતી નથી. આની સામે સરકારને મેમો મોકલવા માટે સ્ટેશનરીનો મોટો ખર્ચ પણ થાય છે. આ સિવાય મોટા શહેરોમાં સ્માર્ટ સિટીની કામગીરી ચાલું હોવાથી સિસ્ટમમાં એરર ઉભી થઇ છે. જેના કારણે નિયમનો ભંગ ન કર્યો હોય તેવા વાહનચાલકોને પણ ઇ-મેમો પહોંચી જાય છે. વાહનચાલકોને રૂબરૂ મેમો રદ કરાવવા જવું પડે છે. આથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news