કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય, ડીસા એરપોર્ટ બનશે વાયુસેનાનું એરબેઝ
નાપાક હરકતને રોકવા મોદી સરકારે મોટો નિર્ણય કરી, ડીસા એરપોર્ટ પર એરબેઝ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના પાછળ 1,000 કરોડ રૂપિયા ખર્ચ થશે.
- ડીસા એરપોર્ટ બનશે વાયુસેનાનું એરબેઝ
- નાપાક હરકત રોકવા કેન્દ્ર સરકારનું પગલું
- મુખ્યપ્રધાને ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી
Trending Photos
અમદાવાદઃ ગુજરાતનું બનાસકાંઠા રાષ્ટ્રીય એરબેઝના નકશામાં અગત્યનું સ્થાન આગામી સમયમાં ધરાવશે. કેન્દ્ર સરકારની સુરક્ષા સમિતિની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બનાસકાંઠાનું ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવામાં આવશે. ડીસા એરપોર્ટને વાયુસેનાનું એરબેઝ બનાવવા કેન્દ્ર સરકારની કેબિનેટ કમિટી ઓન સીક્યૂરિટીનો નિર્ણય, 1000 કરોડ ખર્ચ કરાશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. ટ્વીટમાં સીએમે લખ્યું, 'આ જાહેર કરતા ખુશી થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ડીસાના એરપોર્ટને ભારતીય વાયુસેનાના એરબેઝના રૂપમાં મંજૂરી આપી છે'
Glad to announce that the central government under the leadership of Prime Minister Shri @narendramodi ji has given a nod for making Deesa as an airbase of the Indian Airforce.
— Vijay Rupani (@vijayrupanibjp) March 23, 2018
ડીસાના એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારે લીધેલાં વ્યૂહાત્મક નિર્ણયથી દૂરોગામી પરિણામો મળી શકશે. પાકિસ્તાન સરહદથી નજીક હોવાના કારણે આ એરબેઝ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ડીસા એરપોર્ટને એરબેઝ તરીકે વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે 1000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને લઇને લેવાયેલો આ મહત્ત્વનો નિર્ણય છે. ભારતની વાયુસેનાના વિસ્તાર માટે આ એક મહત્ત્વનો નિર્ણય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે