યુવકને અચાનક જ ચક્કર આવ્યાં અને ફસડાઈ પડ્યો, સારવાર દરમિયાન થયું મોત

જામનગરના ગોકુલનગરમાં રહેતા સુભાષભાઈ યાદવ (48) નામના આધેડ યુવકને અચાનક જ ચક્કર આવી ગયા હતાં. બેભાન હાલાતમાં તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. 

યુવકને અચાનક જ ચક્કર આવ્યાં અને ફસડાઈ પડ્યો, સારવાર દરમિયાન થયું મોત

જામનગર: શહેરમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી વિગતો મુજબ જામનગરના ગોકુલનગરમાં રહેતા સુભાષભાઈ યાદવ (48) નામના આધેડ યુવકને અચાનક જ ચક્કર આવી ગયા હતાં. બેભાન હાલાતમાં તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. 

યુવકને અચાનક જ ઘરે છાતીનો દુખાવો ઉપડતા બેભાન થઈ ગયો  હતો. તાકીદે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે કેસ દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય એક બનાવમાં છગન મનજીભાઈ જરખીયા (75) નામના વૃદ્ધે કોઈ કારણોસર આપઘાત કર્યો. 

છગનભાઈએ કોઈ અંગત કારણોસર પોતાના ઘરમાં જ  કેરોસિન છાંટીને આપઘાત કરી લીધો. પોલીસ તપાસમાં આ વિગતો સામે આવી હતી. છગનભાઈ જામનગરના મોરકંડામાં રહેતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news