હાર્દિકથી અલગ પડેલા પાસના સભ્યોના દિલ્હીમાં ધામા, કેવા રચાશે સમીકરણો

ગુજરાતમાં પાટીદારોની ધરપકડ બાદ ફરી એકવાર સુરતમાં બસો બાળવામાં આવી તો બીજી તરફ હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટના આમરણ અનશન પર પરવાનગી વગર બેસવાની માંગ પર અડ્યો તો ત્યારે જ હાર્દિકથી છુટા પડેલા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના ૪૦ સભ્યો પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના નેતૃત્વમાં દિલ્હી પહોંચ્યા છે. 
હાર્દિકથી અલગ પડેલા પાસના સભ્યોના દિલ્હીમાં ધામા, કેવા રચાશે સમીકરણો

હિતેન વીઠલાણી/ નવી દિલ્હી: ગુજરાતમાં પાટીદારોની ધરપકડ બાદ ફરી એકવાર સુરતમાં બસો બાળવામાં આવી તો બીજી તરફ હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટના આમરણ અનશન પર પરવાનગી વગર બેસવાની માંગ પર અડ્યો તો ત્યારે જ હાર્દિકથી છુટા પડેલા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના ૪૦ સભ્યો પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના નેતૃત્વમાં દિલ્હી પહોંચ્યા છે. 

પાટીદાર અનામત આંદોલનમાં બે અલગ-અલગ માંગો સાથે બે પાસ ગુજરાતમાં જોવા મળી રહી છે. એક તો હાર્દિક પટેલની પાસ જે ખેડુતોના દેવા માફ અને બિનઅનામત આયોગની માંગ સાથે આંદોલનના ૪ વર્ષ પૂર્ણ થવાના દિવસે ફરી ૨૫ ઓગસ્ટથી આમરણ અનશન પર બેસવાની માંગ કરી રહી છે. તો બીજી તરફ પાસ જે દિલીપ સાબવાના નેતૃત્વમાં દિલ્હી પહોંચી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના વરીષ્ઠ નેતા શરદ યાદવને મળી ૧૪ શહિદ પાટીદારોના પરીવારને ન્યાયની સાથે આરક્ષણની માંગના આંદોલનમાં જોડવાની અપીલ કરી રહ્યા છે.

દિલીપ સાબવા અને ટીમ રાહુલને પણ પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરશે. માત્ર નેતા જ નહી પણ હરિયાણાના ગુજ્જર નેતા અને કુર્મી પાટીદાર સમાજના પૂર્વ જજ, આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ ને પણ પોતાની સાથે જોડાવવાની અપીલ કરશે. બીજી પાસ એટલે હાર્દિકથી છુટા પડેલી ટીમ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના વકીલ આકાશ કાકડે અને રામ જેઠમલાણીને મળી ૧૪ શહિદોના પરીવારોને ન્યાય અપાવવા કાયદાકિય પ્રક્રિયા જાણી ગુજરાત સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની તૈયારીમાં છે.
dilip-sabava

બન્ને પાસમાં ફરક પણ ઘણો જોવા મળી રહ્યો છે. હાર્દિકની પાસમાં બનાવાયેલી ગાંધી ટોપી પર માત્ર જય સરદારનો નારો તો દિલ્હી પહોંચેલી પાસ ટીમની ટોપી પર જય સરદારની સાથે યુદ્ધ એ જ કલ્યાણનો નારો જોવા મળી રહ્યો છે. 

આજથી ૪ વર્ષ પહેલાં શરૂ થયેલી અનામતની લડાઈમાં ૧૪ પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આખરે તે જ યુવાનોના પરીવારને ન્યાય અપાવવાની માંગ જે હાર્દિક બે વર્ષ સુધી કરતો રહ્યો ત્યારબાદ તે મુદ્દો છોડી ચુંટણીની રાજનિતીમાં જોડાઇને હવે વિપક્ષી એકતાને મજબૂત કરવાની રાજનિતીમાં આમરણ અનશનની રાજનિતીમાં ૧૪ યુવાનોને ભૂલ્યો તો તે હવે બીજી પાસ ટીમનો મુદ્દો બન્યો અને છેવટે દિલ્હીમાં વિપક્ષી નેતાના દરબારમાં ઉઠ્યો છે.

૪ વર્ષમાં આંદોલનના ઘણા માર્ગ જોવા મળ્યા, આંદોલનના મુદ્દા પણ બદલાતા જોવા મળ્યા. પાસના સભ્યો બદલાતા પણ જોવા મળ્યા ને છેવટે આંદોલનને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એક જ સંગઠન પાસમાં બે અલગ અલગ ટીમની રાજનિતી શું સમાજને ન્યાય અપાવશે કે કેમ ? આ સવાલનો જવાબ તો સમાજની સાથે સાથે ગુજરાતની જનતા પણ આંદોલનકારીઓ પાસે માંગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news