ભાવનગર અકસ્માત : રંધોળા ખાતે 32 લોકોના જીવ લેનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો
Trending Photos
ભાવનગરઃ રંઘોળા ખાતે અકસ્માત સર્જનાર ફરાર ટ્રકચાલક ઝડપાયો છે. અકસ્માત સર્જીને 35 લોકોને મોતની નિંદર પોઢાવનાર ટ્રક ડ્રાઈવર નીતિન વાઘેલા કુંઢડી ગામમાં છુપાયો હતો. જે અંગે બાતમી મળતા મહુધા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ટ્રક ડ્રાઈવર પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ જ નહોંતું. તેની પાસે વાહન ચલાવવા માટેનું લાઈસન્સ જ નથી. જોકે આ વાતની જાણ હોવા છતા પણ ટ્રકના માલીકે તેને ટ્રક ચલાવવા આપ્યો હતો. ટ્રક માલીકનું નામ પરેશ આહિર છે. જે ભોળાદ ગામનો વતની છે. તેણે નીતિન પાસે લાઈસન્સ ન હોવાની જાણ હોવા છતા આટલા લોકોને નીતિનના હવાલે છોડી દીધો, અને આ અકસ્માત સર્જાયો. મહત્વનું છે કે, નીતિન વાઘેલાએ ગઈકાલે પોતાના આપઘાત કરતા ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા હતા. જેથી કોઈ તેને મૃત સમજીને પકડી ન શકે.. પરંતુ મહુધા પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે