અહો વૈચિત્રમ ! પાક.માં પોલિયોની દવા પીવડાવવા ગયેલ ટીમ પર હુમલામાં 2નાં મોત

પોલીયોનાં નામે મુસ્લિમોનું ખસીકરણ થતું હોવાની આતંકવાદીઓએ ફેલાવેલી અફવા બાદ ટીમ પર હુમલાઓ

અહો વૈચિત્રમ ! પાક.માં પોલિયોની દવા પીવડાવવા ગયેલ ટીમ પર હુમલામાં 2નાં મોત

ઇસ્લામાબાદ : અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા પાકિસ્તાનનાં નાના ગામડાઓ અને આદિવાસી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા પોલિયો પીવડાવવા માટે આવેલી ટીમ પર હૂમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકોનાં મોત નિપજ્યા છે. આતંકવાદીઓની ટીમે અન્ય 3નું અપહરણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને કરાંચીની એક શાળામાં એડમિનિસ્ટ્રેશન પોલિયો ટીમનાં સભ્યો પર હુમલો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, સફી નામનાં વિસ્તારમાં પોલિયો પીવડાવવા માટે ગયેલી 7 સભ્યોની ટીમ પર હૂમલો થયો હતો. આતંકવાદીઓએ 2 સભ્યોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જ્યારે 3નું અપહરણ કર્યું હતું. જ્યારે બે સભ્યો જેમ તેમ કરીને ભાગી છુટ્યા હતા. આ કર્મચારીઓ ઘલાનઇ ખાતે પોતાનાં હેડક્વાર્ટર ખાતે પહોંચીને હૂમલા અંગે માહિતી આપી હતી.

જો કે પાકિસ્તાનમાં આ કોઇ નવી ઘટના નથી. અગાઉ પણ પાકિસ્તાનમાં પોલિયો ટીમ પર હુમલાઓ થઇ ચુક્યા છે. ગત્ત મહિને કરાંચીમાં શાળાનાં બાળકોને પોલિયો પીવડાવવા માટે ગયેલ ટીમ પર શાળા એડમિનિસ્ટ્રેશન દ્વારા જ હુમલો કરોવામાં આવ્યો હતો. ઉપરાંત કરાંચીમાં આતંકવાદીઓએ એક મહિલા કર્મચારી પર પણ પોલીયો પિવડાવવાનાં આરોપ સાથે હુમલો કર્યો હતો. 

હુમલા પાછળનાં કારણ વિચિત્ર
કરાંચી, પેશાવસ સહિત સમગ્ર પાકિસ્તાનમાં પોલિયોની ટીમ પર ઘણીવાર હુમલાની ઘટનાઓ બનતી રહે છે. જો કે તેની પાછળનું કારણ ઘણુ જ ચોંકાવનારુ છે. પાકિસ્તાની કટ્ટરપંથી આતંકવાદી સમુહો દ્વારા એવી અફવા ફેલાવાય છે કે, પોલિયો ટીમ ટીપાનાં નામે ખસીકરણની દવા પીવડાવે છે. તેઓ મુસ્લિમોનું ખસીકરણ કરવા ઇચ્છે છે. બીજી તરફ એવા પણ આરોપ લાગે છે કે પોલિયોનાં નામે આ લોકો જાસુસી કરી રહ્યા છે. અગાઉ આતંકવાદી ઓસામાં બિન લાદેન પર અમેરિકાએ કરેલા હુમલા પહેલા તેનાં મકાનની રેકી કરવા માટે પોલીયો ટીમનો જ ઉપયોગ કર્યો હતો. જેથી આતંકવાદીઓ દ્વારા અફવા ફેલાવવા ઉપરાંત તેમનાં પર હુમલાઓ થતા જ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news