જામીન પર બહાર આવેલા લોકો મારી પાસે હિસાબ માંગી રહ્યા છે: PM મોદી

રાહુલ સોનિયા પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો કે, જે માં-પુત્ર રૂપિયાની હેરાફેરીના કેસમાં જામીન પર છે તેઓ હવે મને ઇમાનદારીનુ પ્રમાણપત્ર આપશે

જામીન પર બહાર આવેલા લોકો મારી પાસે હિસાબ માંગી રહ્યા છે: PM મોદી

બિલાસપુર : નોટબંધી પર સવાલ પેદા કરવા અંગે રાહુલ અને સોનિયા ગાંધી પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું કે, તેમને જામીન પર રહેલા માં-પુત્ર પાસેથી ઇમાનદારના પ્રમાણપત્રની જરૂર નથી. કોંગ્રેસ તેના અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેની માં સોનિયા ગાંધી પર સીધો જ શાબ્દિક પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષી દળની રાજનીતિ એક પરિવારથી ચાલુ થઇને તેના પર જ ખતમ થઇ જાય છે. 

છત્તીસગઢ વિધાનસબા ચૂંટણી માટે 20 નવેમ્બરનાં રોજ પ્રસ્તાવિત બીજા અને અંતિમ ચરણના મતદાન પહેલા અહીં આયોજીત એક ચૂંટણી જનસભામાં વડાપ્રધાન મોદીએ વિકાસની મજબુતીથી વકીલાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્યમાં ભાજપ સરકારની તુલનામાં કોંગ્રેસ સરકારનાં સમયે વિકાસની રફ્તાર ખુબ જ ધીમી હતી. 

માં-પુત્ર રૂપિયાની હેરાફેરી માટે જામીન પર ફરી રહ્યા હતા
નોટબંધીનો હિસાબ માંગવા અંગે રાહુલ - સોનિયા પર સીધુ નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો કે, જે માં-પુત્ર રૂપિયાની હેરાફેરી માટે જામીન પર ફરી રહ્યા છે કારણ કે તેઓ તેને ઇમાનદારીનું પ્રમાણપત્ર  વહેંચશે ? તેમણે ગાંધી પરિવારનાં કોઇ સભ્યનું નામ લિધા વગર જ કહ્યું કે, નોટબંધીનો હિસાબ માંગે છે. નોટબંધીના કારણે નકલી કંપનીઓની ઓળખ થઇ. તેના કારણે તમને જામીન માંગવી પડી. ઉલ્લેખનીય છે કે મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ મોટી નોટોના ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

વડાપ્રધાન મોદીની ટીપ્પણીઓ દિલ્હીની એક કોર્ટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત આર્થિક ગોટાળા સંબંધમાં ડિસેમ્બર 2015માં રાહુલ અને સોનિયાને જામીન આપવાનાં પરોક્ષ સંદર્ભમાં કરવામાં આવી. વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે વડાપ્રધાન મોદીનાં જામીન સંબંધિત ટિપ્પણીઓને નામંજુર કરી અને કહ્યું કે, વડાપ્રધાનને પોતાનાં પદની ગરિમા ન પછાડવી જોઇએ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news