અયોધ્યામાં તોગડિયા : પ્રશાસન એલર્ટ, કાર્યકર્તાઓને પોલીસે રોકતા તણાવ

આ સંજોગોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે. 

અયોધ્યામાં તોગડિયા : પ્રશાસન એલર્ટ, કાર્યકર્તાઓને પોલીસે રોકતા તણાવ

નવી દિલ્હી : રામમંદિર નિર્માણની માગણી લઈને અયોધ્યા પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી)ના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ પ્રશાસનની મુશ્કેલી વધારી દીધી છે. મંગળવારે રામકોટ પરિક્રમા અને સરયુ તટ પર સંકલ્પ સભાના એલાનને પગલે અયોધ્યામાં હાઇ એલર્ટ છે. જોકે પ્રશાસનની સૂચના પછી પ્રવીણ તોગડિયાએ રામકોટની પરિક્રમાનો કાર્યક્રમ રદ કર્યો છે. જોકે, તોગડિયા જ્યારે સરયુ તટ પર સંકલ્પ સભા કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જબરદસ્તીથી રામજન્મભુમિ તરફ જઈ રહેલા તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતા એએચપીના અનેક કાર્યકર્તા ઘાયલ થયા છે. આ સંજોગોમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે. 

પ્રવીણ તોગડિયા સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. વહીવટી તંત્રના અટકાવવા છતાં તેઓ સોમવારે જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સભા સંબોધી હતી. તોગડિયાએ રામ મંદિર મુદ્દે શિવસેનાના વલણને સમર્થન આપ્યું છે. 25 ઓક્ટોબરે શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહયા છે. આ પહેલાં શિવસેના સાંસદ સંજય રાઉત ફૈઝાબાદ પહોંચી ગયા છે અને આજે (મંગળવારે) તેમની પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત થાય એવી શક્યતા છે. પ્રવિણ તોગડિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર લખનૌમાં બાબરી મસ્જિદ બનાવવાનું આયોજન કરી રહી છે અને રામમંદિર બનાવવાનો વાયદો પોકળ સાબિત થયો છે. 

રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો બનાવવાની માંગને લઇને આંદોલન કરી રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાએ આ વખતે અયોધ્યાથી નવો નારો આપ્યો છે. અબ કી બાર હિન્દુ સરકાર નારા સાથે તોગડિયાએ મંદિર નિર્માણ માટે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. તેમણે મંદિર નહીં તો વોટ નહીં નો રણટંકાર કરતાં કહ્યું કે આગામી સરકાર હિન્દુ સરકાર હશે જે શપથ ગ્રહણ કરતાંની સાથે જ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ કરશે. 

વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનાર પ્રવીણ તોગડિયાએ રામ મંદિર આંદોલનને ધાર આપવા માટે સોમવારે નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, તે રામ મંદિર નહીં તો મત નહીં. આ નારા સાથેના આંદોલનને તેઓ અંત સુધી ચલાવશે. તેમણે કેન્દ્રની મોદી સરકાર સામે વાયદા પુરા કર્યા ન હોવાનો આરોપ લગાવતાં કહ્યું કે, હવે જનતા સામે તે નવો વિકલ્પ આપવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જે રામ મંદિર નિર્માણની વાત કરશે એને તે મત આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news