1971ના હીરો બ્રિગેડિયર કુલદીપ સિંહનું નિધન, 'બોર્ડર'માં સનીએ ભજવ્યું હતું પાત્ર

બોર્ડર ફિલ્મમાં અભિનેતા સની દેઓલે જે બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવીને વાહવાહ મેળવી હતી તેઓનું આજે નિધન થયું છે.

1971ના લોંગેવાલાના યુદ્ધમાં તેમની સૈન્ય ટુકડીએ જબરદસ્ત બહાદુરી દાખવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ યુદ્ધ પર બોર્ડર ફિલ્મ બની હતી. મેજર કુલદીપ સિંહે અસાધારણ નેતૃત્વનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ તેમને ભારત સરકાર દ્વારા દેશના બીજા હાઈએસ્ટ ગેલેન્ટરી એવોર્ડ મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ કેન્સરથી પીડાતા હતાં અને 78 વર્ષની આયુમાં મોહાલી ખાતે આજે છેલ્લા શ્વાસ લીધા. 

1/6
image

લોંગેવાલા ચોકી પર મેજર કુલદીપ સિંહ સાથે માત્ર 120 સૈનિકોની ટુકડી હતી. પાકિસ્તાનની સેનામાં લભગ 2000 જવાનો હતાં અને ભારતની ટુકડી માત્ર 100ની આસપાસ, થતાં જુસ્સો જબરદસ્ત હતો. 

2/6
image

રાત થતા સુધીમાં તો પાકિસ્તાનના 12 ટેંક તબાહ કરી નાખ્યા અને 8 કિમી દૂર તેઓને ખદેડી મૂક્યા હતાં. પાકિસ્તાનની ઈચ્છાઓ પર પાણી ફરી વળી ગયું હતું.

3/6
image

મુઠ્ઠીભર સૈનિકોએ આખી રાત સામનો કર્યો. બીજા દિવસે એટલે કે 5 ડિસેમ્બર 1971ના રોજ વહેલી સવારે વાયુસેનાનું વિમાન મદદે પહોંચ્યું અને વાયુસેના પાકિસ્તાની ટેંકો અને સૈનિકો પર તૂટી પડી. બધા ઊભી પૂંછડીએ ભાગ્યાં. 

4/6
image

લોંગેવાલા યુદ્ધમાં પાકિસ્તાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના 34 ટેન્ક તબાહ થઈ ગયા હતાં. 500થી વધુ જવાનો ઘાયલ  થયા હતાં અને 200 જેટલા જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો. 

5/6
image

બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર આવું બન્યું હતું કે કોઈ સેનાના આટલી મોટી સંખ્યામાં ટેન્ક તબાહ થયા હોય. આ યુદ્ધથી પાકિસ્તાનની ખુબ બેઈજ્જતી થઈ હતી.

6/6
image

એવું કહી શકાય કે જો મેજર કુલદીપ સિંહ ચાંદપુરી ન હોત તો ભારતનો નક્શો બદલાઈ જાત. પાકિસ્તાની સેના રામગઢ થઈને સરળતાથી જેસલમેર પહોંચી ગઈ હોત.