શરદી, ઉધરસ, છાતીમાં જામેલા કફથી 2 જ દિવસમાં રાહત આપશે આ ચમત્કારિક ઉકાળો

ખાવો, શરીરનું કળતર પણ શરૂ થઈ જાય છે. 

ઠંડીની ઋતુ શરૂ થતા જ જે સમસ્યાથી લોકો સૌથી વધુ હેરાન પરેશાન થાય છે તે છે શરદી-કફ, ઉધરસ. શરદી થાય કે માથાનો દુ:ખાવો, શરીરનું કળતર પણ શરૂ થઈ જાય છે. 

1/7
image

લોકો જલદી રાહત મેળવવા માટે જાત જાતની દવાઓ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ આજે અહીં તમને એક એવા ચમત્કારિક ઉકાળા અંગે જણાવીશું જે અસરકારક દવા તરીકે કામ કરે છે. આ સાથે જ તેના પીવાથી કોઈ આડઅસર પણ થતી નથી. 

2/7
image

ઉકાળો બનાવવા માટે શું જોઈએ? આ ઉકાળા માટે ડુંગળી, લીંબુનો રસ, લસણની કળીઓ અને પાણીનો ઉપયોગ થાય છે. 

3/7
image

આ ઉકાળાના ઉપયોગથી છાતીમાં જામેલો કફ સરળતાથી નીકળે છે અને ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત બને છે. 

4/7
image

કેવી રીતે બનાવશો અડધી ડુંગળી,2 ચમચી લીંબુનો રસ અને 4-5 લસણની કળીઓને મિક્સરના બાઉલમાં લઈ લો. 

5/7
image

તેને લગભગ 1 મિનિટ સુધી ચલાવો. ગેસ પર એક પેન લઈને પાણી નાખી ઉકાળો. 

6/7
image

ઉકળતા પાણીમાં પીસેલી સામગ્રી ભેળવો અને પકાવો. થોડીવાર બાદ તેને નીચે ઉતારીને પાણી ગાળી લો. આ ઉકાળો સવારે અને રાતે ભોજન બાદ પીવો. બે જ દિવસમાં કુદરતી રીતે શરદીમાં રાહત મળશે. 

7/7
image

આ બાબતનું ધ્યાન રાખો આ ઉકાળાનું સેવન કરતી વખતે થોડી ચરી પાળવી પડશે. કોલ્ડ ડ્રિંક અને તળેલી વસ્તુઓની સેવન ન કરવું.