પતંજલિની ઓર્ગેનિક ખેતી કેવી રીતે જમીનના સ્વાસ્થ્યને સુધારી રહી છે અને ખેડૂતોને સશક્ત બનાવી રહી છે?

Patanjali Organic Farming: પતંજલિ ઓર્ગેનિક ફાર્મિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતીના નુકસાનને ઘટાડવાનો અને કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. તે જમીનની ફળદ્રુપતાને પુનર્જીવિત કરવા અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પતંજલિની ઓર્ગેનિક ખેતી કેવી રીતે જમીનના સ્વાસ્થ્યને સુધારી રહી છે અને ખેડૂતોને સશક્ત બનાવી રહી છે?

નવી દિલ્હીઃ દરરોજ સવારે ગ્રામીણ ભારતનો ખેડૂત એક નવી આશા સાથે ખેતર તરફ નીકળે છે. પરંતુ આજના સમયમાં કેમિકલવાળી ખેતીએ તેના જીવનને વધુ મુશ્કેલ બનાવી દીધું છે. માટી પહેલા જેવી ઉપજાઉ રહી નથી, પાક પણ નબળા પડવા લાગ્યા છે અને આર્થિક મુશ્કેલી અલગથી. તેવા સમયમાં પતંજલિ ખેડૂતો માટે એક નવી આશા બનીને સામે આવ્યું છે. ઓર્ગેનિક અને નેચરલી ખેતીને પ્રોત્સાહન આપી, ન માત્ર માટીને ફરી જીવીત કરી રહ્યું છે, પરંતુ ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તન લાગી રહ્યું છે. હવે ખેડૂતો માત્ર ખેતરમાં પરસેવો પાડતા નથી, પરંતુ સારા ભવિષ્ય તરફ વધી રહ્યાં છે.

હા, પરંતુ તે જાણીએ કે પતંજલિ ઓર્ગેનિક ફાર્મિંગ આખરે કઈ રીતે માટીના સ્વાસ્થ્યમાં સુધાર કરવા અને ખેડૂતોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

સમજો પતંજલિ ઓર્ગેનિક ફાર્મિંગનો ઉદ્દેશ્ય
પતંજલિ ઓર્ગેનિક ફાર્મિંગનો મુખ્ય ઉદ્દેશ્ય કેમિકલ ખેતીના નુકસાનને ખતમ કરવા અને ઓર્ગેનિક રીતે ખેતીને સમર્થન આપવાનો છે. તે જમીનની ફળદ્રુપતાને પુનર્જીવિત કરવા અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંશોધન-આધારિત અહેવાલો દર્શાવે છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના લાંબા ગાળાના અને વધુ પડતા ઉપયોગથી જમીનની મજબૂતાઈ ઘટી છે, પરિણામે પાકની ઉપજમાં ઘટાડો થાય છે અને પર્યાવરણને નુકસાન થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, પતંજલિએ ઓર્ગેનિક ખેતીનો આશરો લીધો, જે જમીન અને ખેડૂતો બંને માટે ફાયદાકારક છે.

ખેડૂતોને યોગ્ય ટ્રેનિંગ આપવી
ખેડૂતોની પ્રગતિમાં પતંજલિ સૌથી મોટું કામ કરી રહ્યું છે, તે છે ખેડૂતોને તાલીમ આપવાનું. પતંજલિનો કિસાન સમૃદ્ધિ પ્રોગ્રામ ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના સરળ અને ફાયદાકારક ટિપ્સ આપે છે. તેનાથી ખેડૂતો ઓછા કેમિકલનો ઉપયોગ કરે છે, માટીનું સ્વાસ્થ્ય સુધારે છે અને પાકનું સ્વાસ્થ્ય સારૂ થાય છે. આ સાથે પતંજલિ ખેડૂતોને પાણી બચાવવાની રીત અને એવી ખેતીની જાણકારી આપે છે જે લાંબા સમય સુધી ફાયદાકારક હોય. તેનાથી ન માત્ર ખેતી સારી થાય છે પરંતુ પર્યાવરણની પણ રક્ષા થાય છે અને ખેડૂતોને લાંબા સમય સુધી ફાયદો મળે છે.

ખેડૂતોની આવક વધારવી
ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે પતંજલિ પ્રમાણિક અને સાચી વ્યવસાય પદ્ધતિઓ અપનાવે છે. તેનું ધ્યાન રહે છે કે ખેડૂતોને તેની ઓર્ગેનિક વસ્તુના યોગ્ય ભાવ મળે, જેનાથી તેની આવક વધે. કંપની ખેડૂતોને સારા બીજ, ઓર્ગેનિક ખાતર અને નેચરલ કીટનાશક પણ આપે છે, જેનાથી પાક સારો થાય છે અને માર્કેટમાં સારો ભાવ મળે છે. સાથે પતંજલિ ખેડૂતોને ડિજિટલ તકનીકથી જોડી રહી છે, જેથી તેને નવા બજારોની જાણકારી મળતી રહે.

આ સિવાય પતંજલિ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે. તેનાથી ખેડૂતો ખાસ પાક જેમ કે એલોવેરા, તુલસી અને મોગરા ઉગાવે છે અને પતંજલિ આ પાકને ખરીદે છે. તેથી ખેડૂતોને તેના પાકનું બજાર મળી જાય છે.

આ બધા દ્વારા ખેડૂતોને આર્થિક સ્થિરતા મળે છે અને તે કેમિકલ ખેતીના ખતરાથી બચી જાય છે. ઓર્ગેનિક પાક માર્કેટમાં સારા ભાવે વેચાઈ છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને તે પોતાના પરિવારને સારૂ જીવન આપે છે.

(This article is part of IndiaDotCom Pvt Ltd’s consumer connect initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility or liability for any errors or omissions in the content of the article.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news