EXCLUSIVE : 7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીએ ટાળી દીધું મોટું આંદોલન

રેલવે મંત્રલાય દ્વારા આ સકારાત્મક વાતચીતને ધ્યાનમાં રાખતાં રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશને 11 ડિસેમ્બરથી જાહેર વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનો નિર્ણયને હાલ સ્થગિત કરવાનો જાહેરાત કરી છે.

EXCLUSIVE : 7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીએ ટાળી દીધું મોટું આંદોલન

7th Pay commision ના હેઠળ રેલવે કર્મચારીઓના સંગઠનો અને રેલવે મંત્રાલયની વચ્ચે કર્મચારીઓની 47 સૂત્રીય માંગો પર બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું કે કર્મચારીઓને જલદી 7મા પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થું મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલવામાં આવી છે. રેલવે મંત્રલાય દ્વારા આ સકારાત્મક વાતચીતને ધ્યાનમાં રાખતાં રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશને 11 ડિસેમ્બરથી જાહેર વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનો નિર્ણયને હાલ સ્થગિત કરવાનો જાહેરાત કરી છે.

આ નિર્ણય બુધવારે આયોજિત સંગઠનની સ્ટેડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો. સંગઠનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે રેલવે બોર્ડના કર્મચારીઓની માંગો પર નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે. એવામાં યૂનિયનમાં વર્ક ટૂ રૂલને હાલ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આગામી 15 દિવસમાં તેના પર નિર્ણય થતો નથી તો આગળના આંદોલનની જાહેરાત કરવામાં આવશે. 

કર્મચારીઓના પગારમાં થશે વધારો
7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપતાં કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનું અંતર આપશે. ઉદાહરણ તરીકે જો કોઇ રેલવેના ગાર્ડ હાલના સમયમાં 100 કિલોમીટર યાત્રા કરે છે તો તેને 235 રૂપિયા રનિંગ એલાઉંસ મળે છે. 7મા પગાર પંચ હેઠળ ભથ્થું 525 રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ છે. તે લાગૂ થતાં રનિંગ સ્ટોકના વેતનમાં દર મહિને સરેરાશ 10 હજારથી વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે રેલવેના એક ડ્રાઇવર મહિનામાં સરેરાશ 4000 થી 5000 કિલોમીટર સુધી યાત્રા કરે છે. એવામાં જો કોઇ ડ્રાઇવર 4000 કિલોમીટર યાત્રા કરે છે અને દરરોજ 100 કિલોમીટર તેનું ભથ્થું 300 રૂપિયા સુધી વધી જાય છે તો તેને મળનાર ભથ્થામાં 12 હજાર સુધીનો ફેરફાર આવશે. 

ઘણા અન્ય મુદ્દાઓ પર પણ બની સહમતિ 
રેલવે કર્મીઓ તથા રેલવે મંત્રાલયના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં ફિટમેંટ ફાર્મૂલા, જૂની પેંશન સ્કીમ તથા અન્ય મુદ્દાઓ પર વાતચીત ખૂબ સકારાત્મક રહી. ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે રેલવે મંત્રાલય સાથે વાતચીત ખૂબ સફળ રહી. કેટલાક મુદ્દાઓ પર વાતચીત હજુ સુધી થઇ શકી નથી. તેના પર બુધવારે વધુ વાતચીત ચાલુ રહેશે. કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ જલદી આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. 

લાંબા સમયથી ચાલી રહ્યું છે આંદોલન
7th Pay Commission હેઠળ વેતન ભથ્થું આપવામાં આપવા, જૂની પેંશન સ્કીમ તથા પોતાની 47 સૂત્રીય માંગોને લઇને રેલવે કર્મચારી 26 નવેમ્બર થી 30 ડિસેમ્બર વચ્ચે જનજાગરણ અભિયાન ચાલી રહ્યું હતું. રેલવે કર્મચારીઓના સંગઠને પોતાની માંગને લઇને 11 ડિસેમ્બર સુધી વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનું આહવાન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news