)
નવી દિલ્હીઃ લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર કેન્દ્ર સરકાર તરફથી ડીએ/ડીઆર (મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત) ની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યાં છે. મોંઘવારી ભથ્થાને વર્ષમાં બે વખત રિવાઇઝ કરવામાં આવે છે અને બીજો ફેરફાર હવે થવાનો છે. આ સંબંધમાં કેન્દ્રીય સરકારી કર્મચારી તથા શ્રમિક પરિસંઘએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખી તત્કાલ હસ્તક્ષેપની માંગ કરી છે. સંગઠને પત્રમાં જણાવ્યું હતું કે તે 01-07-2025 થી બાકી રહેલા DA/DR ના હપ્તાની જાહેરાત ન કરવા તરફ તમારું ધ્યાન દોરવા માંગે છે. સામાન્ય રીતે, આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે, અને ત્રણ મહિનાના બાકી ચૂકવણા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચૂકવવામાં આવે છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે જાહેરાતમાં વિલંબ અંગે કર્મચારીઓ અને પેન્શનરોમાં "ગંભીર અસંતોષ" છે.
ક્યારે થાય છે મોંઘવારી ભથ્થાની જાહેરાત?
સરકારી કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે ડીઆરની જાહેરાત વર્ષમાં બે વખત થાય છે. પ્રથમ છ મહિના (જાન્યુઆરીથી જૂન) માટે માર્ચમાં અને બીજા છ મહિના (જુલાઈથી ડિસેમ્બર) માટે સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં. વર્ષના બીજા છ મહિના માટે ડીએ સંશોધનની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવે છે. કર્મચારીઓને વધેલા ડીએ સાથે બે કે ત્રણ મહિનાનું એરિયર મળે છે. હવે મહિનો ખતમ થવાનો છે, કર્મચારી આશા કરી રહ્યાં છે કે સરકાર ડીએમાં વધારાની જાહેરાત કરશે તેથી તેમને સપ્ટેમ્બરના વેતન સાથે એરિયર મળી શકે.
કઈ રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે
DA ની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો (CPI-IW) પર આધારિત સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. સૂત્ર છે: DA (%) = [(છેલ્લા 12 મહિના માટે CPI-IW ની સરેરાશ - 261.42) ÷ 261.42] x 100. ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે અને ફુગાવાને ટ્રેક કરે છે, જે કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક આવક જાળવવામાં મદદ કરે છે. વર્તમાન ગણતરી માટેનો આધાર વર્ષ 2016 છે.
તહેવારોની સિઝન અને બોનસને લઈને સવાલ
કેન્દ્રીય સરકારી કર્મચારી તથા શ્રમિક પરિસંઘે તે પણ કહ્યું કે દુર્ગા પૂજા ઉત્સવ નજીક આવવાની સાથે, ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ (પીએલબી) અને એડહોક બોનસની જાહેરાત કરવી જોઈએ. પત્રમાં માંગ કરવામાં આવી કે સરકાર તત્કાલ આદેશ જારી કરે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલા રાહત મળી શકે. પત્રમાં કહેવામાં આવ્યું કે પરિસંઘ વિવિધ મામલામાં તત્કાલ હસ્તક્ષેપની માંગ કરે છે અને તમને વિનંતી કરે છે કે મહેરબાની કરી ડીએ/ડીઆર આદેશ અને બોનસ આદેશની જાહેરાત કરવાનો સમય પર આદેશ આપો.
આઠમાં પગાર પંચમાં વિલંબ
દરમિયાન, આઠમા પગાર પંચની ઔપચારિક સૂચના અને પેનલની રચના માટે લાંબી રાહ જોવાથી કર્મચારીઓ હજુ પણ હતાશ છે. અગાઉના કમિશનની તુલનામાં, આ વખતે ઔપચારિક રચના પ્રક્રિયા થોડી લાંબી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર, 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાનું છે. આ કમિશન હેઠળ, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 30 થી 34 ટકાનો વધારો થવાની ધારણા છે.
રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત
લગભગ 11 લાખ નોન ગેઝેટેડ રેલ કર્મચારીઓને મોટી રાહત આપતા કેન્દ્રીય મંત્રીમંડળે 24 સપ્ટેમ્બરે 78 દિવસના વેતન બરાબર પરફોર્મંસ-બેસ્ડ બોનસ (પીએલબી) ની જાહેરાત કરી છે. પીઆઈબીની અખબારી યાદી અનુસાર આ બોનસની ચુકવણીથી કેન્દ્ર સરકારના ખજાના પર લગભગ 1866 કરોડ રૂપિયાનું ભારણ પડશે. રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોતા કેન્દ્રીય મંત્રીમંડળે 10,91,146 રેલ કર્મચારીઓ માટે 1865.68 કરોડ રૂપિયાને મંજૂરી આપી. કેન્દ્ર દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલા પાત્ર કર્મચારીઓને પીએલબી પ્રદાન કરે છે.