8th Pay Commission latest news today: 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 70 વર્ષ જૂની આરોગ્ય યોજના CGHS માં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર CGHS ને નવી અને અદ્યતન વીમા આધારિત યોજના (CGEPHIS) થી બદલી શકે છે.

8th Pay Commission latest news today: કેન્દ્રીય કર્ચારીઓ માટે CGHS કાર્ડ માત્ર એક પ્લાસ્ટિકનો ટૂકડો નથી. આ એક વિશ્વાસ છે. આ તે વાતની ગેરંટી છે કે વૃદ્ધાવસ્થા કે કોઈ મુશ્કેલ બીમારીમાં સરકાર તેના અને તેમના પરિવાર સાથે ઉભી છે. વર્ષ 1954થી ચાલી રહેલી સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે કોઈ સુરક્ષા કવચની જેમ રહી છે.
છેલ્લા 10 વર્ષમાં, ખાસ કરી સાતમાં પગાર પંચ 2016-2025) ના સમયમાં આ કવચને વધુ મજબૂત અને આધુનિક બનાવવાના ઘણા પ્રયાસો થયા. પરંતુ હવે દેશમાં આઠમાં પગાર પંચની ચર્ચા ચાલી રહી છે, તો એક મોટો સવાલ થઈ રહ્યો છે કે શું વર્ષો જૂની CGHS સ્કીમ ખતમ થવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી વીમા યોજના લાવી શકે છે. શક્ય છે કે 8મા પગાર પંચની ભલામણો સાથે, સરકાર CGHS ની જગ્યાએ સંપૂર્ણપણે નવી, આધુનિક અને વીમા આધારિત આરોગ્ય યોજના લાવી શકે.
પરિવર્તનનો અવાજ કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે?
7મા પગાર પંચ દરમિયાન CGHS એ ખૂબ આગળ વધ્યું છે. જૂની, ફાઇલ-બાઉન્ડ યોજનામાંથી બહાર કાઢીને તેને આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ડિજિટલ ક્રાંતિ તરફ પ્રયાણ
CGHS કાર્ડને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) સાથે જોડવાની પહેલ થઈ. ચુકવણી માટે જૂની સિસ્ટમ બદલી નવું HMIS પોર્ટલ લાગૂ કરવામાં આવ્યું. MyCGHS એપ લોન્ચ થઈ, જેનાથી કાર્ડ ટ્રાન્સફર, પરિવારના સભ્યોને જોડવા જેવા કામ મોબાઇલ પર થવા લાગ્યા.
નિયમો સરળ બનાવાયા
ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય, અર્ધ-ખાનગી અને ખાનગી વોર્ડ માટેની લાયકાત કર્મચારીઓના મૂળ પગાર સાથે જોડવામાં આવી હતી, જેનાથી મૂંઝવણ દૂર થઈ હતી. રેફરલ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી. હવે સરકારી હોસ્પિટલોમાં રેફરલ વિના સારવાર શક્ય છે અને ખાનગી હોસ્પિટલો માટે, એક જ રેફરલ પર ત્રણ નિષ્ણાતો સાથે પરામર્શ લઈ શકાય છે.
નવી અને ઝડપી સુવિધાઓ
ફિઝીયોથેરાપી જેવી સેવાઓ ઘરે ઉપલબ્ધ થવા લાગી. CPAP, BiPAP અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવા તબીબી ઉપકરણોની મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન અને ઝડપી બની, જેના કારણે તે ફક્ત 5 દિવસની થઈ ગઈ.
જ્યારે બધા ફેરફાર થઈ રહ્યાં છે તો નવી સ્કીમની જરૂરિયાત કેમ? (Why a New Insurance Scheme?)
આ એક વ્યાજબી સવાલ છે. જ્યારે CGHS માં આટલા સુધાર થઈ રહ્યાં છે તો તેને બદલવાની ચર્ચા કેમ છે? તેની પાછળ કેટલાક મોટા અને દૂરગામી કારણો હોઈ શકે છે.
1. વ્યાપ અને ખર્ચમાં વધારો
CGHS ના લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, જે સરકાર પર ખર્ચનો બોજ પણ વધારી રહી છે. વીમા મોડેલ આ ખર્ચને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે.
2. ખાનગી વીમાનું લવચીક મોડેલ
વીમા-આધારિત યોજના (જેનું શક્ય નામ CGEPHIS હોઈ શકે છે) ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડી શકે છે.
3. રોકડ રહિત સારવારનું સ્વપ્ન
નવી યોજનાનું મુખ્ય ધ્યાન દેશભરની મોટી ખાનગી હોસ્પિટલોના મજબૂત નેટવર્ક સાથે સંપૂર્ણપણે રોકડ રહિત અને મુશ્કેલીમુક્ત સારવાર પૂરી પાડવાનું હોઈ શકે છે.