)
8th Pay Commission Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આઠમાં પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યાં છે. પરંતુ તેમાં હજુ સમય લાગી શકે છે. આ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિવાળી પહેલા મોંઘવારી ભથ્થું (Dearness Allowance- DA) વધારવાની જાહેરાત થઈ શકે છે. આ વધારાથી 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે કારણ કે દશેરા અને દિવાળીના તહેવાર પર તેની પાસે વધુ પૈસા આવશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.
આ વખતે DAમાં કેટલો થશે વધારો?
એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારીને ધ્યાનમાં રાખતા તેમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. વર્ષમાં બે વખત DA વધારવામાં આવે છે- એક વખત જાન્યુારી અને પછી જુલાઈમાં. જુલાઈ 2025 માટે એક્સપર્ટ મોંઘવારી ભથ્થામાં 3-4 ટકાનો વધારો થવાનું અનુમાન લગાવી રહ્યાં છે.
જોકે, સામાન્ય રીતે પગારમાં વધારો DA વધારા તરીકે થાય છે, સામાન્ય રીતે સત્તાવાર જાહેરાતના મહિનાઓ પછી, ફેબ્રુઆરી-માર્ચ અથવા સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ. પગાર ખાતામાં DA વધારા સાથે મળતા પગારમાં જાન્યુઆરી અને જુલાઈના બાકી પગારનો પણ સમાવેશ થાય છે. એકંદરે, કર્મચારીઓને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર પગાર મળે છે, જે તેમને વધતી જતી ફુગાવા સાથે સમાયોજિત કરવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે.
શું 2027 પહેલા લાગૂ થઈ જશે આઠમું પગાર પંચ?
તાજેતરના રિપોર્ટ પ્રમાણે આઠમું પગાર પંચ 2027ની જગ્યાએ 2026ની શરૂઆતથી લાગૂ થઈ શકે છે. પાછલા મહિને આ સિલસિલામાં સરકારી કર્મચારી રાષ્ટ્રીય પરિસંઘ (GENC) ના પ્રતિનિધિઓએ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. જીતેન્દ્ર સિંહે પુષ્ટિ કરી હતી કે આ મામલા પર રાજ્ય સરકારો સાથે સક્રિય રૂપથી વાતચીત ચાલી રહી છે, જેનાથી પંચ અને તેની પેનલ વિશે જલ્દી સત્તાવાર જાહેરાત થવાની આશા છે.
કેટલો વધી જશે પગાર?
સ્પષ્ટ વાત છે કે DA વધવાથી કર્મચારીઓ અને પેન્શનરોની મહિનાની આવક પણ વધશે. ઉદાહરણ તરીકે જો કોઈનો બેઝિક પગાર 50,000 રૂપિયા છે, તો DA વધારા બાદ તેને દર મહિને આશરે 3000 રૂપિયા વધુ મળશે. ડીએની ગણતરી CPI-IW (Consumer Price Index for Industrial Workers) ના ફોર્મ્યુલા પર આધારિત હોય છે. તેને દર મહિને શ્રમ બ્યુરો તરફથી જારી કરવામાં આવે છે.