અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને વાર્ષિક સમારંભમાં આદિત્ય પુરીનું કર્યું બહુમાન

અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ‘ન્યૂ યોર્કમાં ગાલા’ માં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ન્યૂ યોર્કના 600થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું.
અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને વાર્ષિક સમારંભમાં આદિત્ય પુરીનું કર્યું બહુમાન

મુંબઈ: અમેરિકન ઈન્ડીયન ફાઉન્ડેશને એમના વાર્ષિક સમારંભ ‘ન્યૂ યોર્કમાં ગાલા’ માં કોર્પોરેટ અને સખાવતી ક્ષેત્રે નેતૃત્વ બદલ આદિત્ય પુરીનું બહુમાન કર્યું હતું. આ બહુમાન તેમના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકમાં પરિવર્તનકારી કાર્યોની કદર તરીકે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં ન્યૂ યોર્કના 600થી વધુ અત્યંત પ્રભાવશાળી કોર્પોરેટ આગેવાનો, ઉદ્યોગસાહસિકો, સીઈઓ, સખાવત કરતા મહાનુભવો અને સમુદાયના નેતાઓ હાજર હતા. ડેલ ટેક્નોલોજિસના ચેરમેન અને સીઇઓ માઇકલ ડેલને પણ શિક્ષણ તરફ તેમના નેતૃત્વને આગળ ધપાવવા માટે સન્માન આપવામાં આવ્યું હતું.

પુરીએ આ સમારંભમાં હાજર રહેલા સમુદાયને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “પરિવર્તન માટેનો અમારો મંત્ર જે લોકો તરફ ધ્યાન અપાયું નથી તેવા લોકો માટે બદલાવ અને પ્રગતિનો છે. આ એવોર્ડ સ્વિકારતાં હું સન્માન અને નમ્રતાની લાગણી અનુભવું છું.” પુરીના નેતૃત્વ હેઠળ એચડીએફસી બેંકે અંદાજે 4 કરોડથી વધુ સામાજીક કામગીરીઓ માટે તેમની છત્રરૂપ સંસ્થા પરિવર્તનના માધ્યમથી થયું છે અને તેના દ્વારા ભારતીયોના જીવનમાં તફાવત હાંસલ કરી શકાયો છે. ટીચ- દ ટીચર નામના ફ્લેગશીપ કાર્યક્રમ હેઠળ બેંકે 18 રાજ્યોના 14 લાખ શિક્ષકોને તાલિમ આપીને આડકતરી રીતે 1.6 કરોડ જેટલા વિદ્યાર્થીઓને લાભ આપ્યો છે.

એચડીએફસી બેંકના સસ્ટેનેબિલીટી રિપોર્ટમાં આપેલી વિગતો મુજબ પરિવર્તનની મુખ્ય વિશેષતાઓ

  • વિતેલા નાણાંકિય વર્ષમાં રૂ.374 કરોડનો ખર્ચ કરીને એચડીએફસી બેંક દેશમાં કોર્પોરેટ સામાજીક જવાબદારી ક્ષેત્રે સૌથી વધુ રકમ ખર્ચનારની યાદીમાં સ્થાન પામી છે. 
  • સમાજના નીચેના સ્તરમાં સમાવેશ પામતા 80 લાખથી વધુ પરિવારોને આ કાર્યક્રમ સાતત્યપૂર્ણ રોજગારીના પ્રયાસ વડે લાભદાયી નિવડ્યો છે. 
  • સમગ્રલક્ષી ગ્રામ વિકાસ પ્રવૃત્તિ હેઠળ 16 રાજ્યોના 870 ગામોમાં પરિવર્તનકારી કામગીરી કરી છે.
  • નાણાંકિય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ 59 લાખથી વધુ લોકોને આવરી લેવાયા છે.
  • 12મા વર્ષે યોજાયેલી વાર્ષિક રક્તદાન ઝૂંબેશમાં સમગ્ર દેશમાં યોજાયેલા 3,000થી વધુ કેમ્પમા 2 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.
  • બેંકના સસ્ટેનેબિલીટી રિપોર્ટમાં શ્રી પુરી જણાવે છે કે “જે સમુદાયની વચ્ચે કામ કરતાં હોઈએ તે નિષ્ફળ નિવડે તો બિઝનેસ સમૃધ્ધ થઈ શકે નહીં એવું અમારૂં માનવું છે. આ વિચારધારાથી અમારી
  • સામાજીક પ્રવૃત્તિને પ્રેરણા મળતી રહી છે અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 3.5 કરોડ લોકોના જીવનમાં તફાવત સર્જી શક્યા છીએ. આ પ્રવૃત્તિ વડે
  • ઈન્ડીયા-ભારત વચ્ચેનો તફાવત ઘટાડવામાં અમને સહાય થઈ છે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news