ફટાફટ પતાવી લો બેંકના કામ...મે મહિનામાં 13 દિવસ બંધ રહેશે બેંક, જાણો સંપૂર્ણ લિસ્ટ
Bank Holidays : રિઝર્વ બેંકના કેલેન્ડર મુજબ, મે મહિનામાં કુલ 13 બેંક રજાઓ રહેશે, જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ મહિનામાં કેટલાક દિવસો બેંકો બંધ રહેશે. ત્યારે કયા દિવસે બેંકો બંધ રહેવાની છે અને કેમ તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Bank Holidays : નવા મહિનાની સાથે બેંક રજાઓની નવી યાદી બહાર પાડવામાં આવી છે. જો મે મહિનામાં તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. બેંક રજાઓની નવી યાદી મુજબ આ મહિને 13 દિવસ બેંકો બંધ રહેશે. ત્યારે જો તમારે મે મહિનામાં બેંકમાં જવાનું હોય તો રજાઓની યાદી ચેક કરવી જરૂરી છે. જો કે, રજાઓ દરમિયાન ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે.
મે મહિનાની શરૂઆત રજાથી થાય છે
મે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે. મે મહિનાના પહેલા દિવસે એટલે કે 1 મેના રોજ દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. મે મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. આ મહિને 4 રવિવાર અને બીજા અને ચોથા શનિવાર સિવાય વિવિધ સ્થળોએ બેંકો 7 દિવસ બંધ રહેશે.
મે મહિનામાં ક્યારે ક્યારે રહેશે બેંક બંધ ?
- 1 મે, 2025 - મે દિવસના કારણે ગોવા, કેરળ, ગુજરાત, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, ત્રિપુરા અને કર્ણાટકમાં બેંકો બંધ રહેશે. મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ફક્ત મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
- 4 મે, 2025 - રવિવારના કારણે દેશભરની બધી બેંકો બંધ રહેશે.
- 8 મે, 2025 - ગુરુ રવિન્દ્ર જયંતિના કારણે દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે.
- 10 મે, 2025 - બીજો શનિવાર હોવાથી દેશભરની બધી બેંકો બંધ રહેશે.
- 11 મે, 2025 - રવિવારના કારણે બધી બેંકો બંધ રહેશે.
- 12 મે, 2025 - બુદ્ધ પૂર્ણિમાના અવસર પર મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, સિક્કિમ, ત્રિપુરા અને તમિલનાડુમાં બેંકો બંધ રહેશે.
- 16 મે, 2025 - સિક્કિમ રાજ્ય દિવસ નિમિત્તે ફક્ત સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
- 18 મે, 2025 - રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 24 મે, 2025 - ચોથા શનિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 25 મે, 2025 - રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 26 મે, 2025 - કાઝી નઝરુલ ઇસ્લામ જયંતિ નિમિત્તે ફક્ત ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
- 29 મે, 2025 - મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં બેંકો બંધ રહેશે.
- 30 મે, 2025 - શ્રી ગુરુ અર્જુન દેવીજીનો શહીદ દિવસ છે, આ દિવસે પંજાબ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે