)
RBI એ બેંકોની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. જો તમારે કોઈ જરૂરી કામ હોય તો પહેલા બેંક હોલિડેનું લિસ્ટ ચેક કરી લો. જેથી કોઈ સમસ્યા ન થાય.
સપ્ટેમ્બર 2025મા ભારતીય બેંક ઘણા રાજ્યોમાં અલગ-અલગ કારણોથી બંધ રહેશે. ભારતમાં બેક હોલીડે દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. બેંક હોલિડેનું લિસ્ટ બેન્કિંગ રેગુલેટર આરબીઆઈ જારી કરે છે.
જયપુરમાં નવરાત્રિ સ્થાપનાને કારણે બેંક બંધ
રાજસ્થાનના જયપુરમાં તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે. આ દિવસે નવરાત્રી સ્થાપના ઉજવવામાં આવશે, જે હિન્દુ તહેવાર નવરાત્રીની શરૂઆત દર્શાવે છે. જોકે તે રાષ્ટ્રીય રજા નથી, તે જયપુરમાં સ્થાનિક રજા તરીકે ઉજવવામાં આવે છે.
ઓક્ટોબરમાં બેંક રજાઓ
ઓક્ટોબરમાં વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે બેંક બંધ રહેશે.
1 ઓક્ટોબર 2025ના ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, સિક્કિમ, અસમ, અરૂણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, કેરલ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં બેંક આયુધ પૂજા અને વિજયાદશમીને કારણે બંધ રહેશે.
2 ઓક્ટોબર 2025ના દેશભરના બધા રાજ્યોમાં બેંક બંધ રહેશે. આ દિવસે મહાત્મા ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, શ્રી શ્રી શંકરદેવ જન્મોત્સવ અને દશેરા ઉજવવામાં આવશે.
સપ્ટેમ્બર બેંક રજાઓ
સપ્ટેમ્બરના અંતમાં પણ કેટલાક રાજ્યોમાં બેંક વિશેષ અવસરોને કારણે બંધ રહેશે.
23 સપ્ટેમ્બર 2025ના જમ્મુ અને શ્રીનગરમાં બેંક મહારાજા હરી સિંહજીની જન્મજયંતિને કારણે બંધ રહેશે.
સોમવાર 29 સપ્ટેમ્બર 2025ના ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં બેંક મહા સપ્તમી અને દુર્ગા પૂજાના અવસર પર બંધ રહેશે.
ત્રિપુરા, ઓડિશા, આસામ, મણિપુર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં બેંકો 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ મહાઅષ્ટમી/દુર્ગા અષ્ટમી/દુર્ગા પૂજાના કારણે બંધ રહેશે.
બેંક રજાઓના દિવસે વ્યવહારો શક્ય નથી, તેથી લોકો તેમના બિલ, ચેક, ઓનલાઈન વ્યવહારો પૂર્ણ કરવા અને અન્ય બેંકિંગ કાર્યો સમય પહેલા ચૂકવે છે.
નોંધ કરો કે બેંક રજાઓ રાજ્યથી રાજ્યમાં બદલાય છે; એક રાજ્યમાં રજા દેશભરમાં ઉજવવી જરૂરી નથી.