)
8th Pay Commission: 8મા પગાર પંચ વિશે સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે પણ કેટલાક ભથ્થાં નાબૂદ થઈ શકે છે. જેમ કે, 7મા પગાર પંચમાં કરવામાં આવ્યા હતા. આનાથી કર્મચારીઓના પગાર અને સુવિધાઓ પર અસર પડી શકે છે.
ભથ્થાંની સંખ્યામાં ઘટાડો
7મા પગાર પંચમાં સરકારે ઘણા નાના-મોટા ભથ્થાં દૂર કર્યા હતા અને તેમની જગ્યાએ મોટી કેટેગરીવાળા ભથ્થાં સામેલ કર્યા હતા. આનાથી ભથ્થાંની સંખ્યામાં ઘટાડો થયો હતો, જેથી પે-સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવી શકાય. હવે 8મા પગાર પંચમાં પણ આવા જ પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.
નિષ્ણાતોનું માનવું છે કે, જો કેટલાક ભથ્થાં દૂર કરવામાં આવે છે, તો કર્મચારીઓને કોઈ સીધું નુકસાન ન થાય, એટલા માટે બેઝિક પગાર અથવા અન્ય સુવિધાઓમાં વધારો કરી શકાય છે. હાલમાં સરકારે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોમાં આ અંગે ઉત્સુકતા છે.
કયા ભથ્થાંઓ પર પડી શકે છે અસર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ટ્રાવેલ એલાઉન્સ, સ્પેશિયલ ડ્યૂટી એલાઉન્સ, નાના સ્તરના પ્રાદેશિક ભથ્થાં અને કેટલાક વિભાગીય એકાઉન્સ નાબૂદ કરી શકાય છે. જો કે, હાલમાં સરકાર દ્વારા આ સંદર્ભમાં કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થવાની રાહ
કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, 8મું પગાર પંચ માત્ર ભથ્થામાં બદલાવ જ નહીં લાગે, પરંતુ મોંઘવારી ભથ્થા (DA), પેન્શન અને અન્ય લાભોમાં પણ સુધારો લાવી શકે છે. આગામી મહિનાઓમાં સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) નક્કી કર્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.