પિતાનું અવસાન થયું? તેમના બેંક ખાતામાં નોમિનીનું નામ નથી'તો બાળકો કેવી રીતે પૈસા પર કરી શકે ક્લેમ?

How to Claim Father’s Bank Account Money: પિતાનું અવસાન થયું છે અને તેમના બેંક ખાતામાં કોઈ નોમિની નથી? બાળકો હજી પણ પૈસા ઉપાડી શકે છે. જાણો શું છે પ્રક્રિયા?

પિતાનું અવસાન થયું? તેમના બેંક ખાતામાં નોમિનીનું નામ નથી'તો બાળકો કેવી રીતે પૈસા પર કરી શકે ક્લેમ?

How to Claim Father’s Bank Account Money: પિતાના અવસાન પછી બાળકો નાના હોય કે મોટા, તેમના પર દુઃખનો પહાડ તૂટી પડે છે. આવા સમયે જો આર્થિક તંગી હોય તો આ મુશ્કેલી વધુ મોટી થઈ જાય છે. પિતાના મૃત્યુ પછી ખબર પડે કે તેમના બેંક ખાતામાં કોઈ નોમિનીનું નામ જ નથી, તો શું કરવું? નિરાશ થશો નહીં. કારણ કે નોમિનીમાં નામ ન હોવા છતાં પણ બાળકો તેમના દિવંગત પિતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.

Add Zee News as a Preferred Source

ચાલો, અમે તમને અહીં સમજાવીએ કે આ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

આ જરૂરી દસ્તાવેજો એકઠા કરી લો
આ માટે તમારે કેટલાક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે, જેમ કે પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate), તમારા પિતાના ખાતાની વિગતો (Account details), સંબંધનો પુરાવો પણ બતાવવો પડશે. તમે કાનૂની વારસદાર પ્રમાણપત્ર (Legal Heir Certificate), કુટુંબના સભ્યનું પ્રમાણપત્ર અથવા ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate), જે તમારી પાસે હોય તે બતાવી શકો છો.

બેંક આ દસ્તાવેજોની ચકાસણી કરશે અને તે પછી તમને તમારા પિતાના ખાતાની રકમ સોંપી દેશે. જો તમે આ પ્રક્રિયા જલ્દી પૂરી કરવા માંગો છો, તો તમારે આ દસ્તાવેજોને અગાઉથી જ તૈયાર રાખવા જોઈએ, જેથી બેંકમાં વારંવાર દોડવું ન પડે.

બેંકને જાણ કરો અને ક્લેમ ફોર્મ ભરો
તમારા પિતાનું ખાતું જે બેંક શાખામાં છે, ત્યાં જાઓ. તેમને પિતાના મૃત્યુની જાણ કરો અને બેંક કાનૂની વારસદાર માટે એક ક્લેમ ફોર્મ (Claim Form) માંગશે. તેને ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવો. કેટલાક બેંકો દાવાની તકરાર ટાળવા માટે સોગંદનામું (Affidavit) પણ માંગે છે. પછીથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે, ખાતરી કરો કે તમામ કાનૂની વારસદારોને દાવા વિશે જાણ હોય.

ઉત્તરાધિકાર પ્રમાણપત્રની જરૂર ક્યારે પડે છે?
જો તમારા પિતાએ કોઈને નામાંકિત ન કર્યા હોય અને દાવાની રકમ ખૂબ મોટી હોય, તો બેંક સામાન્ય રીતે સિવિલ કોર્ટ દ્વારા જારી કરાયેલ ઉત્તરાધિકાર પ્રમાણપત્ર (Succession Certificate)ની માંગ કરે છે. આવું એટલા માટે છે કારણ કે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર કાયદેસર રીતે વારસદારોને મૃતકની વિવિધ નાણાકીય સંપત્તિઓ, જેમ કે બેંક ખાતા, થાપણો અને સિક્યોરિટીઝ સુધી પહોંચ આપે છે. જોકે તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તે તમને ધનનો દાવો કરવાનો અવિવાદિત અધિકાર આપે છે.

જો એક કરતાં વધુ વારસદાર હોય તો શું કરવું?
જો એક કરતાં વધુ કાનૂની વારસદાર હોય, તો તમામ વારસદારોએ સામૂહિક રીતે અરજી કરવી પડશે અથવા કોઈ એક સભ્યને તેમની વતી રકમ મેળવવા માટે અધિકૃત (Authorize) કરવો પડશે. બેંક સામાન્ય રીતે આવા દાવાઓ પર કાર્યવાહી કરવા માટે અન્ય વારસદારો પાસેથી સહમતિ પત્ર (Letter of Consent) અથવા ના-વાંધા પ્રમાણપત્ર (No-Objection Certificate - NOC) માંગે છે. જો પરિવાર પારદર્શક હોય, તો પરિવારના સભ્યો વચ્ચે કોઈ ગેરસમજ અથવા પછીથી કોઈ કાનૂની પડકાર નહીં હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news