લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025 પાસ, આ ટેક્સ થયો સમાપ્ત... અન્ય 34 ફેરફારો પણ સામેલ

Finance Bill 2025: લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પાસ થઈ ગયું છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જ તેનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ બિલ પાસ થઈ ગયું છે, તેના કારણે ઘણા મોટા ફેરફારો થવાના છે.

લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025 પાસ, આ ટેક્સ થયો સમાપ્ત... અન્ય 34 ફેરફારો પણ સામેલ

Finance Bill 2025: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025 પાસ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં આ વાત રજૂ કરી હતી. સંસદમાં 35 સુધારા સાથે બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ સુધારાઓમાં ઓનલાઇન જાહેરાતો પર 6 ટકા ડિજિટલ ટેક્સ અથવા ગૂગલ ટેક્સ નાબૂદ કરવા સહિત 35 સુધારા કરવામાં આવ્યા હતા. સુધારા સાથે આવેલું આ બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલમાં કરાયેલા સુધારાઓમાં ઓનલાઈન એડવર્ટાઈઝિંગ પર 6 ટકા ડિજિટલ ટેક્સ અથવા ગૂગલ ટેક્સ નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ અંતર્ગત 35 સુધારા સામેલ છે.

પાસ થયું ફાઇનાન્સ બિલ 2025
ફાઇનાન્સ બિલ 2025 મંગળવારે લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું, તેમાં 35 સરકારી સુધારા સામેલ છે. કેન્દ્રીય બજેટ 2025-26ની દરખાસ્તોને લાગુ કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ફાઇનાન્સ બિલ 2025 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટ 2025-26માં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને નિકાસ સ્પર્ધાત્મકતા વધારવાનો છે. 

Add Zee News as a Preferred Source

ફાઇનાન્સ બિલ પર ચર્ચા દરમિયાન નાણા મંત્રીએ ટેરિફને તર્કસંગત બનાવવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા ફેરફારોને પ્રકાશિત કર્યા હતા. નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે, 2025-26ની બજેટ દરખાસ્તો દ્વારા જાહેર કરાયેલ કસ્ટમ ડ્યુટીને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.

ફાઇનાન્સ બિલમાં શું છે
સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે સરકારે EV બેટરી માટે 35 વધારાના કેપિટલ ગુડ્સ અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે 28 વસ્તુઓને કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપી છે. હવે બજેટને લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, તેને રાજ્યસભામાં ચર્ચા માટે મૂકવામાં આવશે. 

જો કે, ઉપલા ગૃહને બજેટ પર મતદાન કરવાનો અધિકાર નથી અને તે કોઈપણ પ્રસ્તાવને નકારી શકતો નથી. નાણામંત્રીએ કહ્યું કે, નવું આવકવેરા બિલ સંસદના આગામી સત્ર એટલે કે ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે અને તે આવકવેરા અધિનિયમ 1961નું સ્થાન લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news