ગુજરાતી ન્યૂઝBusinessDA Hike: 16000 કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશખબર; 8 ટકાના વધારા સાથે હવે કેટલું થયું મોંઘવારી ભથ્થું!

DA Hike: 16000 કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશખબર; 8 ટકાના વધારા સાથે હવે કેટલું થયું મોંઘવારી ભથ્થું!

DA Hike: મોંઘવારી ભથ્થામાં 46થી 50 ટકા થવાથી રિટાયર થનાર કર્મચારીઓને ગ્રેચ્યુટી 20 લાખ રૂપિયાની મર્યાદાને બદલે 25 લાખ રૂપિયા સુધી મેળવી શકશે. પરિવહન નિગમના નિયમિત કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 8% વધારો કરવાના નિર્ણયને આવકાર્યો છે.

DA Hike: 16000 કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશખબર; 8 ટકાના વધારા સાથે હવે કેટલું થયું મોંઘવારી ભથ્થું!

Good News For UPSRTC Employees: વધતી મોંઘવારીના કારણે પરેશાન ઉત્તર પ્રદેશના રોડવેજ કર્મચારીઓને પરિવહન નિગમ તરફથી રાહત આપવામાં આવી છે. જી હા.. ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC) એ રકાયમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. અત્યાર સુધી UPSRTC કર્મચારીઓને 38 ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. પરંતુ આ વધારા બાદ તે વધીને 46 ટકા થઈ ગયું છે. વાહનવ્યવહાર મંત્રી દયાશંકર સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિવહન નિગમમાં કામ કરતા 15,843 નિયમિત કર્મચારીઓને લાભ મળશે.

UPSRTC પર રૂ.5 કરોડનો પડશે વધારાનો બોજ 
પરિવહન મંત્રીએ કહ્યું કે આ મોંઘવારી ભથ્થાના વધારાથી UPSRTC પર રૂ.5 કરોડનો વધારાનો બોજ પડશે. તેમણે કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 4 ટકા મોંઘવારી ભથ્થાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સરકારી સ્તરે વિચારણા ચાલી રહી છે. જો મોંઘવારી ભથ્થું 46 થી 50 ટકા છે, તો નિવૃત્ત કર્મચારીઓ મહત્તમ 20 લાખ રૂપિયાની મર્યાદાને બદલે 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મેળવી શકશે. તેમણે કહ્યું કે મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કર્મચારીઓ નવા જોશ અને ઉત્સાહથી કામ કરશે, જેનો ફાયદો પરિવહન નિગમને થશે.

Add Zee News as a Preferred Source

પ્રાઈવેટ કંપનીઓથી સીએસઆર ફંડને ઉપયોગ કરવાની અપીલ
UPSRTC MD મસૂદ અલી સરવરે ખાનગી કંપનીઓને મહાકુંભ 2025 દરમિયાન મુસાફરોની સુવિધાઓ માટે તેમના CSR ભંડોળનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. સૂચિત સુવિધાઓમાં વોટર એટીએમ, થીમ આધારિત ગેટ, ઈન્કવાયરી ડિસ્પ્લે, બેન્ચ, માઈક્રોફોન, ધાબળા, ડસ્ટબીન અને બસ સ્ટોપ પર કાયમી સંકેતોનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ SBI, HDFC, PNB, કોટક મહિન્દ્રા, ઈન્ડિયન ઓઈલ અને સેન્ટ્રલ બેંક વગેરેને મોકલવામાં આવ્યો છે.

મોંધવારી ભથ્થું વધારવાનો નિર્ણયનું સ્વાગત
પરિવહન નિગમના રેગુલર કર્મચારીઓને 8 ટકા મોંઘવારી ભથ્થું વધારવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કર્મચારી નેતાઓએ સરકાર તરફથી લેવામાં આવેલા આ નિર્ણય પર જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓના પ્રશ્નો અંગે વાહન વ્યવહાર નિગમે ધ્યાન આપવું જોઈએ. મોંઘવારી તમામ કર્મચારીઓને અસર કરી રહી છે. તેમણે કહ્યું કે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તેમના માટે પણ સારી યોજનાઓ લાવવી જોઈએ, જેથી તેઓ સારી રીતે જીવન જીવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news