સરકારી કર્મચારીઓ માટે 20 લાખ સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી, પ્રાઈવેટ કર્મચારીઓ માટે શું છે નિયમ?

What is Gratuity: તાજેતરમાં સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરીને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી રાખવામાં આવી હતી. પરંતુ ડીએમાં વધારો કર્યા બાદ જ્યારે સરકારી કર્મચારીઓની ગ્રેચ્યુટી મર્યાદા વધીને રૂ. 25 લાખ થઈ ત્યારે શું ખાનગી કર્મચારીઓને તેનો લાભ મળશે?

સરકારી કર્મચારીઓ માટે 20 લાખ સુધીની ગ્રેચ્યુટી ટેક્સ ફ્રી, પ્રાઈવેટ કર્મચારીઓ માટે શું છે નિયમ?

Gratuity Calcution: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મોંઘવારી ભથ્થા (DA)માં 50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય કર્મચારીઓની ગ્રેચ્યુટીની મર્યાદા અગાઉના 20 લાખ રૂપિયાથી વધીને 25 લાખ રૂપિયા થઈ ગઈ. નવી ગ્રેચ્યુટી મર્યાદા પણ 1 જાન્યુઆરી 2024થી લાગુ થઈ ગઈ છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને નવી ગ્રેચ્યુટી મર્યાદાની જાહેરાત કરવામાં આવી હતી. નોટિફિકેશન 30 મે 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 46%થી વધારીને 50% કરવામાં આવ્યો છે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો છે.

DA 50% થવા પર વધારી ટેક્સની ગ્રેચ્યુટીની લિમિટ
સરકારે સાતમા પગાર પંચની ભલામણ મુજબ આ નિર્ણય લીધો છે. આ વધારાને કારણે કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટીની લિમિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાતમા પગાર પંચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે સમયાંતરે ગ્રેચ્યુટીની મર્યાદા વધારવી જોઈએ. તેનાથી કર્મચારીઓને વધુ ફાયદો થશે. કમિશને સૂચન કર્યું હતું કે, ગ્રેચ્યુટીની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવી જોઈએ. આ વધારો 1 જાન્યુઆરી 2016થી લાગુ થવો જોઈતો હતો. કમિશને એવું પણ સૂચન કર્યું હતું કે, જ્યારે પણ કર્મચારીઓનું DA 50% હોય ત્યારે ગ્રેચ્યુટી મર્યાદા 25% વધારવી જોઈએ.

Add Zee News as a Preferred Source

સરકારી કર્મચારીઓ માટે વધેલી રકમ 5 લાખ ટેક્સ ફ્રી હશે
વર્તમાન નિયમો હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી મર્યાદા માટે પાત્ર છે. ચાલો જાણીએ કે સરકારી કર્મચારીઓ માટે વર્તમાન ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી મર્યાદા શું છે અને ખાનગી કર્મચારીઓ માટે વર્તમાન ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી મર્યાદા શું છે? આ અંગે ટેક્સ નિષ્ણાત આશિષ મિશ્રાનું કહેવું છે કે, સરકારી કર્મચારીઓના કિસ્સામાં કોઈપણ પ્રકારની ગ્રેચ્યુટી ટેક્સમાંથી સંપૂર્ણપણે મુક્ત છે. આ રીતે વધેલી રકમ એટલે કે રૂ. 5 લાખ પણ કરમુક્ત રહેશે. આનો અર્થ એ થયો કે હવે સરકારી કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા
બીજી તરફ પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઈટી નિયમો આ વાત પર ડિપેન્ડ કરે છે કે તેઓ 1972ના ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ આવે છે કે નહીં. પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ગ્રેચ્યુઈટી ચુકવણી કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ અને બીજું જેઓ ગ્રેચ્યુઈટી ચુકવણી કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. હાલમાં ખાનગી કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટી તરીકે કરમુક્ત મર્યાદામાં વધારો થવાથી ખાનગી કર્મચારીઓની પાત્રતા વધતી નથી.

જો સરકાર ખાનગી કર્મચારીઓને પણ છૂટનો લાભ આપવા માંગે છે તો તેના માટે અલગથી નોટિફિકેશન બહાર પાડવું પડશે. ખાનગી કંપનીઓના કિસ્સામાં કર્મચારીઓ માટે ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા માત્ર 20 લાખ રૂપિયા છે. પરંતુ આ મર્યાદાની ગણતરી માટેના નિયમો અલગ હોઈ શકે છે. ગ્રેચ્યુટી પેમેન્ટ એક્ટ 1972 મુજબ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news