દેશમાં જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર થવાનો છે. પીએમ મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જીએસટી રિફોર્મની જાહેરાત કરી હતી. તેવામાં જો જીએસટી રિફોર્મ થાય તો ઘર ખરીદનારા લોકોને પણ તેનો ફાયદો થશે.

આ વર્ષે દિવાળી પર ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલા લોકો માટે ખુશખબરી આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર જાહેરાત કરી હતી કે દેશના જટિલ જીએસટી માળખાને હવે સરળ બનાવવામાં આવશે. સરકાર વર્તમાન ચાર સ્લેબ્સ (5%, 12%, 18% અને 28%) ને ઘટાડી બે, 5 ટકા અને 8 ટકા કરશે, જ્યારે લક્ઝરી અને સિન ગુડ્સ માટે 40 ટકાનો નવો ટેક્ટ સ્લેબ બનશે. 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક નવી દિલ્હીમાં યોજાશે. જેમાં તેના પર મહોર લાગી શકે છે. હવે સૌથી મોટો સવાલ છે કે શું જીએસટી રિફોર્મનો ફાયદો રિયલ એસ્ટેટ અને ઘર ખરીદનાર લોકોને મળશે કે નહીં.
નિષ્ણાતોના મતે, આનો સૌથી મોટો ફાયદો રિયલ એસ્ટેટને મળવાનો છે. સિમેન્ટ, સ્ટીલ અને અન્ય બાંધકામ સામગ્રી પરનો ટેક્સ ઓછો થશે. ફ્લેટ ખરીદનારાઓને આનો સીધો ફાયદો મળશે. હાલમાં, સિમેન્ટ પર 28% અને સ્ટીલ, ટાઇલ્સ, પેઇન્ટ જેવી સામગ્રી પર 18-28% GST છે. જો આ બધી વસ્તુઓ 18% સ્લેબમાં આવે છે, તો ફ્લેટની કિંમત પ્રતિ ચોરસ ફૂટ 150 રૂપિયા ઘટાડી શકાય છે. આનો અર્થ એ છે કે 1000 ચોરસ ફૂટ પર 1.50 લાખ રૂપિયા સુધીની બચત જોઈ શકાય છે. ચાલો આની વિગતવાર ચર્ચા કરીએ.
રિયલ એસ્ટેટમાં GSTની વર્તમાન સ્થિતિ
હાલમાં, 45 લાખ રૂપિયાથી વધુના બાંધકામ હેઠળના ફ્લેટ પર 5% GST વસૂલવામાં આવે છે. બીજી તરફ, 45 લાખ રૂપિયા સુધીના સસ્તા મકાનો પર 1% GST છે. રેડી-ટુ-મૂવ ફ્લેટ પર કોઈ GST નથી. જો આપણે બિલ્ડિંગ મટિરિયલની વાત કરીએ તો સિમેન્ટ પર 28 ટકા, સ્ટીલ પર 8 ટકા, પેઇન્ટ પર 28 ટકા અને ટાઇલ્સ પર 18 ટકા ટેક્સ છે.
ડેવલોપર્સને ITC કેમ નથી મળતું?
જીએસટી લાગૂ થતાં પહેલાં તે આશા હતી કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની સુવિધાથી ડેવલોપર્સને રાહત મળશે અને તે ટેક્સ સેવિંગને ગ્રાહકો સુધી પહોંચાડી દેશે. પરંતુ 2019મા જ્યારે રિયલ એસ્ટેટ પર જીએસટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો તો સરકારે ફ્લેટ ખરીદી પર દરો ઘટાડી 5 ટકા અને 1 ટકા (અફોર્ટેબલ) કરી દીધી, પરંતુ ITC ઘટાડી દીધી. તેના પરિણામે ડેવલોપર્સ બિલ્ડિંગ મટીરિયલ પર 18-28 ટકા જીએસટી ભરે છે. તેને કોઈ ક્રેડિટ (રિફંડ) મળતું નથી. તેથી આ ટેક્સ સીધો બાંધકામની કિંમતમાં સામેલ થાય છે. ગ્રાહકને જે ફ્લેટ મળે છે તેની કિંમત પર આ ટેક્સ પહેલાથી લાગેલો હોય છે. તેની અસર એ થાય છે કે એક 1000 સ્ક્વેર ફૂટના ફ્લેટમાં જો બાંધકામનો ખર્ચ 25 લાખ રૂપિયા છે અને બિલ્ડિંગ મટીરિયલ પર એવરેજ 20 ટકા જીએસટી લાગે છે તો ડેવલોપરે 5 લાખ રૂપિયાનો ટેક્સ વધારાનો આપવો પડે છે. આઈટીસી ન મળવા પર આ ભાર ઘર ખરીદનારા પર નાખી દેવામાં આવે છે.
જીએસટી રિફોર્મથી કેટલા સસ્તા થશે ઘર
શું કહે છે જાણકાર
રિયલ એસ્ટેટ નિષ્ણાતો માને છે કે જો દિવાળી પહેલા GST સુધારા લાગુ કરવામાં આવે તો ઘર ખરીદનારાઓને 1.5 થી 7.5 લાખ રૂપિયાની સીધી રાહત મળી શકે છે. આ અસર ખાસ કરીને મધ્યમ વર્ગ અને સસ્તા મકાનોમાં સૌથી વધુ હશે, જ્યાં ગ્રાહકો ભાવ પ્રત્યે સંવેદનશીલ હોય છે. હોમગ્રામના સ્થાપક ગૌરવ સોબતીના મતે, હાલમાં રહેણાંક મિલકતો પર 5 ટકા અને વાણિજ્યિક મિલકતો પર 12 ટકા GST વસૂલવામાં આવે છે, પરંતુ બાંધકામમાં વપરાતી વસ્તુઓ પર ખૂબ ઊંચો કર છે, જેમ કે સિમેન્ટ પર 28 ટકા, અને સ્ટીલ, ટાઇલ્સ, સેનિટરી ફિટિંગ, પોલિશિંગ અને આર્કિટેક્ચર અથવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવી કન્સલ્ટન્સી સેવાઓ પર 18 ટકા. જો સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે છે, તો તે બાંધકામના ખર્ચમાં સીધી ઘટાડો કરશે. આનાથી ઘરોના ભાવ પર અસર પડશે અને તેમને વધુ સસ્તું બનાવી શકાય છે.