બસ 4 વર્ષ સુધી જમા કરવું પડશે પ્રીમિયમ અને મળશે 1 કરોડનો બેનિફિટ, LIC ની શાનદાર સ્કીમ

LIC ભારતની સૌથી મોટી વીમા કંપની છે. એલઆઈસી દ્વારા લોકોને અનેક પોલિસી ઓફર કરવામાં આવે છે. તમે તમારા બજેટ પ્રમાણે પોલિસી પસંદ કરી શકો છો. આજે અમે તમને એલઆઈસીની એક એવી પોલિસી વિશે માહિતી આપીશું જેમાં માત્ર 4 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું હોય છે.
 

બસ 4 વર્ષ સુધી જમા કરવું પડશે પ્રીમિયમ અને મળશે 1 કરોડનો બેનિફિટ,  LIC ની શાનદાર સ્કીમ

LIC દરેક વર્ગના ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા વિવિધ સ્કીમ્સ ચલાવે છે. તેમાંથી એક સ્કીમ છે જીવન શિરોમણિ. આ સ્કીમ તે લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેની આવક વધારે છે અને તે પોતાના રોકાણને લઈને સુરક્ષા ઈચ્છે છે. એલઆઈસી (Life Insurance Corporation-LIC) ની જીવન શિરોમણિ પોલિસીમાં તમારે માત્ર 4 વર્ષ સુધી પ્રીમિયમ આપવાનું હોય છે. આ પ્રીમિયમ વધારે હોય છે. જીવન શિરોમણિમાં મિનિમમ 1 કરોડ રૂપિયાના સમ ઇશ્યોર્ડની ગેરંટી મળે છે. તો મહત્તમ સમ એશ્યોર્ડની કોઈ મર્યાદા નથી. જાણો આ સ્કીમ વિશે ખાસ વાતો...

4 વર્ષમાં કેટલું પ્રીમિયમ આપવાનું હોય છે?
જીવન શિરોમણિ પોલિસી એક નોન લિંક્ડ, વ્યક્તિગત, જીવન વીમા બચત યોજના છે. તેમાં 4 વર્ષ સુધી દર મહિને 94000 રૂપિયાની રકમ જમા કરવાની હોય છે. આ પ્રીમિયમ તમે દર મહિને, ત્રણ મહિને, છ મહિને કે વાર્ષિક રીતે જમા કરી શકો છો. આ સ્કીમ લેવા માટે પોલિસી હોલ્ડરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો આપણે મહત્તમ વય વિશે વાત કરીએ તો, 14 વર્ષની પોલિસીની મુદત માટે મહત્તમ વય 55 વર્ષ છે, 16 વર્ષની મુદત માટે મહત્તમ વય 51 વર્ષ છે, 18 વર્ષની પોલિસી માટે મહત્તમ વય 48 વર્ષ છે અને 20-વર્ષની પૉલિસી માટે મહત્તમ વય 45 વર્ષ છે.

મની બેક પ્લાન
જીવન શિરોમણિ એક મની બેક પ્લાન છે, જેમાં સમય-સમય પર તમને પૈસા મળતા રહે છો. જો તમે 14 વર્ષનો પ્લાન ખરીદો છો તો 10મા અને 12મા વર્ષ પર મૂળ વીમા રકમના 30 ટકા પૈસા મળે છે. 16 વર્ષની પોલિસી ખરીદવા પર 12મા અને 14મા વર્ષ પર મૂળ રકમના 35%, 18 વર્ષની ટર્મ પોલિસી ખરીદવા પર 14મા અને 16મા વર્ષે મૂળ વીમા રકમના 40 ટકા અને 20 વર્ષની ટર્મ પોલિસી ખરીદવા પર 16મા અને 18મા વર્ષે મૂળ રકમના 45 ટકા રકમ મળે છે. મેચ્યોરિટી પર બાકી બચેલી રકમ એક સાથે ચુકવવામાં આવે છે.

લોનની સુવિધા
આ પોલિસીના એક વર્ષ પછી અને એક વર્ષ માટે સંપૂર્ણ પ્રીમિયમ ચૂકવ્યા પછી, કેટલીક શરતો સાથે લોનની સુવિધા પણ આપવામાં આવે છે. આ સાથે મૃત્યુ લાભ પણ આપવામાં આવે છે. ગ્રાહકો પૉલિસીના સમર્પણ મૂલ્યના આધારે લોન મેળવી શકે છે. પૉલિસી લોન સમયાંતરે નક્કી કરાયેલા વ્યાજ દરે ઉપલબ્ધ થશે. જો પોલિસીધારકને ગંભીર બીમારીનું નિદાન થાય છે, તો તેને અથવા તેણીને વીમાની રકમના 10%ની એકમ રકમની ચુકવણી મળે છે. આ સિવાય મૃત્યુ લાભો પણ પોલિસીમાં સામેલ છે. વધુ માહિતી માટે તમે https://licindia.in/ ની મુલાકાત લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news