)
NPS Gratuity Rules: જો તમે NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમમાં નોકરી કરી રહ્યા છો અને ક્યારેય પણ મનમાં આ પ્રશ્ન આવ્યો છે કે, નોકરી છોડવા પર તેમને ગ્રેચ્યુઇટી મળશે કે નહીં, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. ગ્રેચ્યુઇટી ક્યારે મળે છે? કયા સંજોગોમાં મળતી નથી? શું નોકરી છોડવાથી તમારી પાછલી સર્વિસ ખતમ માનવામાં આવે છે?
સરકારે હવે આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપ્યા છે. આનાથી લાખો NPS કર્મચારીઓને મોટી રાહત મળશે જેઓ આ બાબતે કન્ફ્યૂઝ હતા.
સરકારે ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી અંગે કહી આ વાત
કેન્દ્ર સરકારે હાલમાં જ એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે, NPS કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને ડેથ ગ્રેચ્યુઈટી કઈ શરતો હેઠળ મળશે અને ક્યારે તેઓ તેના માટે પાત્ર રહેશે નહીં. આ સ્પષ્ટતા સરકારને સતત મળતી અસંખ્ય RTI અને પ્રશ્નો બાદ આપ્યો છે, જે સરકારને સતત મળી રહ્યા છે.
NPS કર્મચારીઓને ગ્રેચ્યુઇટી ક્યારે મળશે?
સરકારના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 5 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી NPS સબ્સ્ક્રાઇબરને ગ્રેચ્યુઇટી ત્યારે જ મળશે જો તેઓ નીચેની પરિસ્થિતિઓમાં નિવૃત્ત થાય છે.
જો કોઈ કર્મચારીને સરકારીની કોઈ કંપની અથવા સંપૂર્ણપણે સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થામાં સમાવિષ્ટ થાય છે અથવા એબ્ઝોર્બ કરવામાં આવે છે, તો પણ તેમને નિવૃત્ત ગણવામાં આવશે અને તેમને ગ્રેચ્યુઇટી મળશે. આ કિસ્સાઓમાં કર્મચારીઓને તેમની સર્વિસ અને છેલ્લા પગારના આધાર પર ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવશે.
નોકરી છોડ્યા પછી સર્વિસ કેમ સમાપ્ત માનવામાં આવે છે?
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સીધા રાજીનામા પર સર્વિસ સમાપ્ત માનવામાં આવે છે, એટલે કે રાજીનામા પર અગાઉની બધી સેવા સમાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં ગ્રેચ્યુઇટી આપવામાં આવશે નહીં. જો કે, આ નિયમમાં કેટલાક અપવાદો પણ છે.
કયા resignation પર ગ્રેચ્યુઇટી આપવામાં આવશે?
સરકારે જણાવ્યું કે, આ કિસ્સાઓમાં રાજીનામું આપવાને સેવા સમાપ્તિ ગણવામાં આવશે નહીં.
કયા સંજોગોમાં NPS કર્મચારીને ગ્રેચ્યુઇટી બિલકુલ નહીં મળે?
સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોઈ કર્મચારી રાજીનામું આપે છે અને રાજીનામું ઉપરોક્ત અપવાદોમાં આવતું નથી, જો રાજીનામું ટેકનિકલ રાજીનામું ન હોય અથવા જો કર્મચારીને નોકરીમાં સમાવિષ્ટ કરવામાં ન આવે, તો તેની પાછલી સેવા સમાપ્ત ગણવામાં આવશે અને તેને કોઈ ગ્રેચ્યુઇટી મળશે નહીં, ભલે તેણે 5 વર્ષની સેવા પૂર્ણ કરી હોય.
નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી મળશે