)
NRI Property Investment: ભારતના અર્થતંત્રમાં NRI રોકાણની ભૂમિકા સતત વધી રહી છે અને આનો એક મુખ્ય ભાગ રિયલ એસ્ટેટ સેક્ટરમાં છે. ભારતમાં સંપત્તિ ખરીદવી એ હવે NRI માટે માત્ર એક ભાવનાત્મક નિર્ણય નથી, પરંતુ એક સ્માર્ટ નાણાકીય રણનીતિ બની ગઈ છે.
NRI ભારતમાં રિયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. આ રોકાણ પાછળના ઘણા કારણો છે, જેમાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, નીચા વ્યાજ દરો અને ભારતીય બજારોમાં વધતી સ્થિરતા સામેલ છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર 2024માં ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ ખાનગી ઇક્વિટી રોકાણના 50% હિસ્સેદારી સાથે મુંબઈ સૌથી વધુ પસંદગીનું સ્થળ છે.
કયા શહેરોમાં સૌથી વધુ રોકાણ?
ભારતના ઘણા શહેરો NRIમાં રિયલ એસ્ટેટ રોકાણ માટે લોકપ્રિય છે. આ શહેરો સામાન્ય રીતે તેમના સારા માળખાગત સુવિધાઓ, નોકરીની તકો અને ઉત્તમ કનેક્ટિવિટીને કારણે રોકાણકારોને આકર્ષિત કરે છે.
મુંબઈ
મુંબઈ ભારતની નાણાકીય રાજધાની છે અને NRI રોકાણ માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. અહીંના લક્ઝરી અને ઉચ્ચ મૂલ્યની પ્રોપર્ટી માર્કેટમાં NRI ખૂબ રસ ધરાવે છે. 2024માં મુંબઈને ભારતીય રિયલ એસ્ટેટમાં કુલ ખાનગી ઇક્વિટી રોકાણના 50% ભાગ પ્રાપ્ત કર્યો, જેના કારણે તે સૌથી પસંદગીનું સ્થળ બન્યું.
હૈદરાબાદ
હૈદરાબાદ પણ NRI રોકાણકારો માટે પણ એક ઉભરતું શહેર છે. તે ઉત્તમ માળખાગત સુવિધાઓ અને વાજબી કિંમતે રિયલ એસ્ટેટ સુવિધાઓ પ્રદાન કરે છે. એક રિપોર્ટ અનુસાર, 2025માં NRI માટે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તે શ્રેષ્ઠ સ્થળોમાંથી એક તરીકે ઉભરી રહ્યું છે.
બેંગલુરુ
ભારતની સિલિકોન વેલી તરીકે જાણીતું બેંગલુરુ તેના IT હબને કારણે NRI માટે એક લોકપ્રિય સ્થળ છે. અહીંનું મજબૂત IT સેક્ટર અને નોકરીની તકો રિયલ એસ્ટેટની માંગને વધારે છે.
દિલ્હી-એનસીઆર
એનસીઆર ક્ષેત્ર, જેમાં ગુરુગ્રામ સામેલ છે, NRI માટે એક લોકપ્રિય રિયલ્ટી હોટસ્પોટ બની ગયું છે. અહીંના લક્ઝરી પ્રોજેક્ટ્સમાં NRIનું રોકાણ જોવા મળ્યું છે, ખાસ કરીને ગુરુગ્રામમાં.
રોકાણ પાછળના કારણો
NRI દ્વારા ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાના ધણા કારણો છે. ભારતમાં રિયલ એસ્ટેટ બજારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિરતા જોવા મળી છે, જેના કારણે NRIનો વિશ્વાસ વધ્યો છે. ભારતીય અર્થતંત્રના વિકાસ અને શહેરીકરણને કારણે રહેઠાણ અને વાણિજ્યિક મિલકતોની માંગ વધી છે. ભારત સરકારે NRI માટે રોકાણ પ્રક્રિયા સરળ બનાવી છે, જેનાથી તેમના માટે મિલકત ખરીદવાનું સરળ બન્યું છે. રિયલ એસ્ટેટમાં રોકાણો સારા રિટર્નની ઉમ્મીદ રહે છે. ઘણા NRI ભારતમાં મિલકત ખરીદે છે અને ભવિષ્યના નફા માટે તેને ભાડે આપે છે અથવા વેચે છે.
ઘણા NRI ભારતમાં તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે મિલકતો ખરીદે છે, જેનો ઉપયોગ તેઓ ભવિષ્યમાં રહેઠાણ માટે અથવા તેમના પરિવારો માટે કરી શકે છે. ભારતીય રિયલ એસ્ટેટ બજાર 2047 સુધીમાં 10 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, જેનાથી તેને સ્થાનિક અને વિદેશી રોકાણકારો બન્ને માટે એક આકર્ષક સ્થળ બનાવે છે.