100 અને 200 રૂપિયાની નોટો પર RBI નો નવો આદેશ, બેંક કર્મચારીઓમાં મચી ગયો હડકંપ
Reserve Bank of India: RBI તરફથી આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે જેથી લોકોને નાની લેતીદેતી માટે જરૂરી નોટ મળી શકે. હંમેશા લોકોને ફરિયાદ રહેતી હોય છે કે એટીએમમાંથી મોટા ભાગે 500 રૂપિયાની નોટ નીકળે છે, જેનાથી નાના પેમેન્ટ કરવામાં મુશ્કેલી થાય છે.
Trending Photos
Rs 100 and 200 Notes: જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે હંમેશા 500-500 રૂપિયાની નોટ નીકળે છે. આ નોટો લીધા બાદ તમારે છુટ્ટા માટે ભટકવું પડે છે. પરંતુ હશે આમ થશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી બધી બેંકો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરો (WLAO) નો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારે. તમને જણાવી દઈએ કે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત એટીએમને WLAO કહેવામાં આવે છે. આરબીઆઈએ બે સમય મર્યાદા નક્કી કરી છે જેથી લોકો એટીએમમાંથી નાની કિંમતની નોટો (100 અને 200 રૂપિયા) સરળતાથી મેળવી શકે.
નાના વ્યવહારમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ
આરબીઆઈ દ્વારા પ્રથમ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે, આ તારીખ સુધીમાં 75% એટીએમ રૂ. 100 અથવા રૂ. 200 ની ઓછામાં ઓછી એક કેસેટનું વિતરણ કરી શકશે. આ ઉપરાંત, આ આંકડો 31 માર્ચ, 2026 સુધીમાં 90% સુધી પહોંચવો જોઈએ. આરબીઆઈ દ્વારા આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે લોકોને નાના વ્યવહારો માટે જરૂરી નોટ સરળતાથી મળી શકે. લોકો વારંવાર ફરિયાદ કરે છે કે એટીએમ મોટાભાગે રૂ. 500 ની નોટો વિતરિત કરે છે, જે નાના વ્યવહારો કરવામાં સમસ્યા ઊભી કરે છે. આરબીઆઈની સૂચનાઓ પછી, ઓછી કિંમતની નોટોની ઉપલબ્ધતા વધશે, જે દૈનિક વ્યવહારોને સરળ બનાવશે.
એટીએમ ઈન્ટરચેન્જ ચાર્જમાં પણ ફેરફાર
આરબીઆઈ તરફથી તાજેતરમાં એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે એટીએમ ઈન્ટરચેન્જ ફીને એટીએમ નેટવર્ક તરફથી નક્કી કરવામાં આવશે. નાણાકીય વ્યવહાર માટે ઈન્ટરચેન્જ ચાર્જ 17 રૂપિયાથી વધારી 19 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. નોન નાણાકીય પેમેન્ટ માટે આ ચાર્જ 7 રૂપિયા હશે. આ વ્યવહારો પર એક્સ્ટ્રા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પણ લાગુ થશે. ગ્રાહકોને તેમના બેંક એટીએમમાંથી દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે, જેમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે. મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઓળંગે છે, તો તેમની પાસેથી શુલ્ક લેવામાં આવશે.
નાની નોટોની માંગ કેમ?
100 અને 200 રૂપિયાની નોટ નાના વ્યવહારો માટે ઉપયોગી હોય છે. બજારમાં ખરીદી, નાની દુકાનો પર ચુકવણી અને દરરોજના ખર્ચ માટે તે સુવિધાજનક નોટ છે. પરંતુ એટીએમમાં નાની નોટોની કમીને કારણે લોકોને સમસ્યા થાય છે. આરબીઆઈ તરફથી આ નિર્દેશ સમસ્યાના ઉકેલની દિશામાં મહત્વનું પગલું છે. તે માટે બેંકો અને વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોએ તે ખાતરી કરવી પડશે કે પોતાના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટ નિયમિત રૂપથી ઉપલબ્ધ હોય. તે માટે એટીએમ મશીનોની કેસેટને સમય-સમય પર રિફિલ કરવી પડશે અને આરબીઆઈની ટાઇમ લિમિટનું પાલન કરવું પડશે.
બેંક અધિકારીઓએ હડકંપ કેમ?
આરબીઆઈ તરફથી બેંકોને એટીએમમાં વધુને વધુ 100 અને 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર (WLAO) બંનેએ સિસ્ટમેટિક રીતે લાગૂ કરવો પડશે. આ આદેશ બાદ દેશની બેંકો અને અધિકારીઓમાં હડકંપ મચેલો છે. આ આદેશ બાદ બેંકોએ 100 અને 200 રૂપિયાની નોટને લઈને એટીએમમાં વધુ મહેનત કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે