ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ કરે છે 7 કરોડ રૂપિયાનું દાન, પરોપકારમાં નંબર-1

જ્યારે ભારતમાં પરોપકાર અને સેવાની વાત આવે છે, ત્યારે એક નામ હંમેશા યાદ આવે છે તે છે શિવ નાદર. આ 80 વર્ષીય ઉદ્યોગપતિએ ભારતના ટેકનોલોજી જગતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે એટલું જ નહીં પરંતુ સમાજ સેવાના ક્ષેત્રમાં પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

  ભારતના આ ઉદ્યોગપતિ દરરોજ કરે છે 7 કરોડ રૂપિયાનું દાન, પરોપકારમાં નંબર-1

જ્યાં દુનિયામાં લોકો નામ અને પ્રતિષ્ઠાની પાછળ ભાગે છે, તો ભારતના એક એવા અબજોપતિ પણ છે, જે પોતાની કમાણીનો મોટો ભાગ દરરોજ કોઈ પ્રચાર વગર દાન કરે છે. દેશમાં જ્યારે કોઈ મોટા દાનવીરનો ઉલ્લેખ થાય છે તો સૌથી પ્રથમ નામ આવે છે એચસીએલ (HCL) ના ફાઉન્ડર શિવ નાદર (Shiv Nadar) નું. આ એવા વ્યક્તિ છે જેની સફળતાની કહાની જેટલી પ્રેરણાદાયક છે, એટલી જ હ્રદયસ્પર્શી તેમની વિનમ્રતા અને સમાજસેવાની ભાવના પણ છે. અબજોની સંપત્તિના માલિક હોવા છતાં શિવ નાદર પોતાની સંપત્તિને દેખાડવામાં નહીં, પરંતુ તેને સમાજના કલ્યાણમાં લગાવવામાં વિશ્વાસ રાખે છે. દરરોજ 7 કરોડ રૂપિયાથી વધુનું દાન કરનાર શિવ નાદરને દેશના સૌથી મોટા પરોપકારી કહી શકાય છે.

વર્ષ 2025ના સૌથી મોટા દાનવીર બન્યા શિવ નાદર
હુરૂન પરોપકાર લિસ્ટ 2025 પ્રમાણે 80 વર્ષીય નાદરે વર્ષ 2025મા 2708 કરોડ રૂપિયાનું દાન કરી દેશના સૌથી મોટા પરોપકારીો ખિતાબ હાસિલ કર્યો છે. સતત પાંચ વર્ષમાં ચાર વખત તેઓ આ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહ્યા છે. તો બીજા નંબર પર મુકેશ અંબાણી પરિવાર રહ્યો, જેણે 626 કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને બજાજ પરિવાર રહ્યો, જેણે 446 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

Add Zee News as a Preferred Source

ગેરેજથી શરૂ થઈ હતી એચસીએલ
શિવ નાદરની કહાની તે વાતનું પ્રમાણ છે કે સાચી મહેનત અને નિયતથી શરૂ કરવામાં આવેલી વસ્તુ કઈ રીતે ઈતિહાસ રચે છે. વર્ષ 1976મા શિવ નાદરે પાંચ મિત્રોની સાથે મળી HCL ની શરૂઆત એક નાના ગેરેજથી કરી હતી. તે સમયે કંપની કેલકુલેટર અને માઇક્રોપ્રોસેસર બનાવતી હતી. તો આજે કંપની દુનિયાના 60થી વધુ દેશોમાં કારોબાર કરે છે અને 2.23 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે.

પુત્રી રોશની નાદર હવે કમાન સંભાળી રહી છે
2020 માં, શિવ નાદરએ HCL ટેક્નોલોજીસના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, અને હવે તેમની પુત્રી, રોશની નાદર મલ્હોત્રા, કંપનીની કમાન સંભાળી રહી છે. પરંતુ તેમના પિતાની જેમ, તે સમાજ સેવાને પ્રાથમિકતા આપે છે.

શિક્ષણ અને સંસ્કૃતિ પર ખર્ચ
અહેવાલો અનુસાર, આ વર્ષે શિવ નાદરનું દાન ગયા વર્ષ કરતાં 26% વધુ છે. તેમણે તેમના શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા દાન કરેલા ભંડોળ શિક્ષણ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં ખર્ચવામાં આવ્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news