15 એપ્રિલથી બદલી જશે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય? જાણો IRCTCએ શું કહ્યું
Railway Tatkal Ticket Booking Timings: હાલમાં જ કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે, રેલવે 15 એપ્રિલથી તત્કાલ ટિકિટ બુકિંગનો સમયમાં બદલાવ કરી રહ્યું છે.
Trending Photos
Indian Railway: રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગને લઈ સોશિયલ મીડિયો પર વાયરલ થઈ રહેલ દાવાને IRCTCએ નકારી કાઢ્યો છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ શુક્રવારે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વાસ્તવમાં, તાજેતરમાં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રેલવે 15 એપ્રિલથી તત્કાલ ટિકિટ બુકિંગનો સમય બદલી રહી છે. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા IRCTCએ સ્પષ્ટતા કરી છે કે, તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, જો તમે 15મી એપ્રિલના રોજ અથવા તે પછી તત્કાલ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો નિશ્ચિંત રહો. ટિકિટ બુકિંગનો સમય પહેલા જેવો જ છે.
IRCTCએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર IRCRCએ લખ્યું કે, "કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટ માટે બુકિંગનો સમય બદલાઈ ગયો છે." પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈપણ એસી અથવા નોન-એસી ક્લાસની તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટના બુકિંગના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ટિકિટ એજન્ટો માટે બુકિંગનો સમય પણ પહેલા જેવો જ રહેશે.
શું છે બુકિંગનો સમય?
AC ક્લાસ (2A/3A/CC/EC/3E) માટે તત્કાલ બુકિંગ સવારે 10 વાગ્યે શરૂ થાય છે. જ્યારે નોન-એસી ક્લાસ (SL/FC/2S) માટે બુકિંગ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે. IRCTCએ સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ ટ્રેન 2 ઓગસ્ટે ખુલે છે, તો એસી ક્લાસ માટે તત્કાલ બુકિંગ 1 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે અને નોન-AC માટે સવારે 11 વાગ્યે શરૂ થશે.
આ સિવાય IRCTCએ કહ્યું છે કે, તત્કાલ ઈ-ટિકિટ યાત્રાના એક દિવસ પહેલા જ સોર્સ સ્ટેશનથી બુક કરાવી શકાય છે. દરેક PNR પર વધુમાં વધુ 4 ટિકિટ બુક કરી શકાય છે. તત્કાલ ચાર્જ ટિકિટના ભાવમાં વધારાનો છે. તત્કાલ ક્વોટા હેઠળ કન્ફર્મ અને વેઇટલિસ્ટ બન્ને ટિકિટ બુક કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે