)
અમેરિકાનો 50 ટકા ટેરિફ આજથી લાગૂ થઈ જશે. આ ટેરિફથી ભારતના કયા ઉદ્યોગોએ ભોગવવું પડશે અને તેને પહોંચી વળવા માટે આપણી શું તૈયારી છે. અમેરિકાએ પહેલાના 25 ટકા ટેરિફની સાથે સાથે વધારાના 25 ટકા ટેરિફ લાગૂ કરતી નોટિસ બહાર પાડી દીધી. જેમાં કહેવાયું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે જે અમેરિકા માટે જોખમ છે. આથી ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાનો આદેશ અપાયો છે. તેનાથી હવે અમેરિકામાં ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી થશે જેની જગ્યાએ ચીન, કમ્બોડિયા, વિયેતનામ, અને બાંગ્લાદેશના ઉત્પાદકોને ફાયદો થશે. કારણ કે આ દેશો પર ટેરિફ ઓછો છે.
કાપડ ઉદ્યોગ
ભારતના કપડા પર અમેરિકામાં પહેલા 9 ટકા ટેરિફ લાગતો હતો. જે હવે 59 ટકા થઈ જશે. જ્યરે રેડિમેડ કપડા પર ટેરિફ 63.9 ટકા થશે. આ સેક્ટરમાં લગભગ 4.5 કરોડ લોકો કામ કરે છે. જેમાંથી 5થી 7 ટકાની નોકરીઓ પર અસર પડી શકે છે.
સ્ટીલ, એલ્યુમિનિયમ, અને કોપર
આ ત્રણ ધાતુઓ પર હવે 51.9 ટકા ટેરિફ લાગશે. આ ઉદ્યોગમાં કુલ 55 લાખ લોકો કામ કરે છે. પરંતુ તેમના પર વધુ અસર નહીં પડે.
આ ઉદ્યોગો ઉપર પણ અસર
ઝીંગા નિકાસ હીરા-સોના
હવે ભારતે શું કરવું પડશે
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે સરકારે આ સમસ્યાને પહોંચી વળવા માટે નાના ઉદ્યોગોને આર્થિક મદદ, સસ્તી લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ સાથે જ યુરોપીયન દેશો, આફ્રિકા, અને લેટિન અમેરીકી દેશો સાથે સંધિ કરવી જોઈએ. જેથી કરીને ભારત પોતાનો સામાન આ દેશોમાં વેચી શકે.
મેક ઈન ઈન્ડિયા
ફેડરેશનનું કહેવું છે કે સૌથી જરૂરી માંગણી એ છે કે ભારત મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપે. ભારતની જીડીપીમાં હાલ મેન્યુફેક્ચરિંગની ભાગીદારી 17 ટકા છે. જ્યારે ચીનમાં તે 26 ટકા છે. ભારતે સ્વદેશી સામાનનું ઉત્પાદન વધારવું જોઈએ.
ટેરિફને પહોંચી વળવાની ભારતની તૈયારી
અમેરિકી ટેરિફની અસરને ઘટાડવા માટે ભારતે પણ કમર કસી છે. રિપોર્ટ મુજબ ભારત સરકાર 25000 કરોડ રૂપિયાના નિર્યાત સંવર્ધન મિશન પર કામ કરી રહી છે. જે હેઠળ વેપાર નાણા અને ઋણ પહોંચ, કપડાં, અને ફૂડ પ્રોસેસિંગ માટે જીએસટીમાં ફેરફાર, SEZ માં સુધાર, બ્રાન્ડ ઈન્ડિયા હેઠળ ગ્લોબલ ઈ કોમર્સ અને વેર હાઉસિંગને પ્રોત્સાહન આપવું સામેલ છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે અમેરિકી ટેરિફના જવાબમાં જવાબી કાર્યવાહીની તો ના પાડી દીધી પરંતુ કહ્યું કે ભારત નિકાસકારો અને નોકરીઓની રક્ષા કરવા માટે દરેક ઉપલબ્ધ સામાન (નીતિગત, રાજકોષીય, અને કૂટનીતિક)નો ઉપયોગ કરશે. આ બધા વચ્ચે ભારત પોતાના નિકાસ બજારોમાં વિવિધતા લાવવા માટે અને અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા માટે યુરોપીયન સંઘ, બ્રિટન અને અન્ય દેશો સાથે મુક્ત વેપાર સમજૂતિ (FTA) માં તેજી લાવી રહ્યું છે.