)
Investments Tips: ધારો કે તમને એક કાર્ડ આપવામાં આવે છે જેમાં ફક્ત 20 છિદ્રો બનાવવા માટે જગ્યા છે અને તમને તેમાં 20 છિદ્રો બનાવવાનું કહેવામાં આવે છે, તો તમે દરેક છિદ્ર ખૂબ જ વિચારપૂર્વક બનાવશો. જો તમે એક પણ ખોટો છિદ્ર કરો છો, તો તમને ફરીથી તે તક નહીં મળે. સફળ ઈન્વેસ્ટર વોરેન બફેટે રોકાણના સંદર્ભમાં આ જ્ઞાન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તમને જીવનમાં રોકાણ કરવાની ફક્ત 20 તકો આપવામાં આવે, તો તમે દરેક રોકાણ ખૂબ જ વિચારપૂર્વક કરશો. તે પહેલાં, તમે નફા-નુકસાનની ગણતરી કરશો અને સંપૂર્ણ સંશોધન કર્યા પછી, તમે પૈસાને શ્રેષ્ઠ જગ્યાએ રોકાણ કરવાનો પ્રયાસ કરશો. વોરેન બફેટના આ નિયમને '20 પંચ કાર્ડ નિયમ' કહેવામાં આવે છે. આ નિયમ શેરબજારની દુનિયામાં ખૂબ જ ઉપયોગી છે.
તમે પણ સમજો '20 પંચ કાર્ડ રૂલ'?
વોરેન બફેટનું માનવું છે કે મોટા ભાગના ઈન્વેસ્ટર નિષ્ફળ એટલા માટે થાય છે કારણ કે તે દરેક ચમકતી વસ્તુ પાછળ ભાગે છે અને બીજાની દેખાદેખીમાં ઘણા સોદા કરે છે. 20 પંચ કાર્ડ રૂલ આ આદતને તોડવાનો એક માનસિક અભ્યાસ (Mental Exercise) છે. બફેટ પ્રમાણે રોકાણને તે રીતે જોવું જોઈએ કે તમને જીવનમાં ગણતરીની તક મળી રહી છે.
દરેક રોકાણ જીવનની માત્ર 20 તકમાંથી એક છે. આ પ્રકારનો વિચાર જો તમને રાખશો તો તમે કોઈના કહેવા પર પણ રોકાણ કરશો નહીં. કોઈ જગ્યાએ તમારા પૈસા લગાવતા પહેલા સારી રીતે તપાસ કરશો. રિસર્ચ કરશો અને હજાર વખત વિચાર્યા બાદ રોકાણ કરશો. રોકાણના મામલામાં આ પ્રેક્ટિસ તમને કારણ વગરના જોખમથી બચાવે છે, સાથે ભવિષ્યમાં સારા રિટર્નની સંભાવનાને વધારે છે.
શું છે આ રૂલ્સનો ઉદ્દેશ્ય?
દરેક રોકાણને ગંભીરતાથી લોઃ કોઈ જગ્યાએ રોકાણ કરતા પહેલા તપાસ અને રિચર્સ કરો. પછી તેમાં પૈસા લગાવો.
ક્વોલિટી પર ફોકસ કરો, કોન્ટેટી પર નહીંઃ 100 એવરેજ કંપનીઓમાં થોડા-થોડા પૈસા લગાવાવાથી સારૂ છે, 5-10 સારી કંપનીઓમાં મોટો દાવ લગાવવો.
ઉતાવળથી બચોઃ સોશિયલ મીડિયા ટિપ્સ કે કોઈ પાસેથી સાંભળી હોટ સ્ટોક પાછળ ન ભાગો.
FAQs
૧. શું આ '20 પંચ કાર્ડ નિયમ' નાના રોકાણકારો માટે પણ કામ કરે છે?
હા, આ નિયમ બધા કદના રોકાણકારો માટે છે. તેનો હેતુ પૈસાની રકમનો નથી પણ રોકાણ કરવાની વિચારસરણીને શિસ્તબદ્ધ કરવાનો છે. એક નાનો રોકાણકાર પણ આ નિયમનું પાલન કરીને ભૂલો ટાળીને સારી સંપત્તિ કમાઈ શકે છે.
2. જો મારા 20 રોકાણોમાંથી કેટલાક ખોટા પડે તો શું?
કોઈને પણ રોકાણ કરવામાં 100% સફળતા મળતી નથી. પરંતુ જ્યારે તમે ખૂબ સંશોધન કરીને દરેક નિર્ણય લો છો, ત્યારે તમારા ખોટા થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. તમારા કેટલાક મોટા સાચા નિર્ણયો નાના ખોટા નિર્ણયોના નુકસાનની ભરપાઈ કરશે.
3. શું આ નિયમ માત્ર સ્ટોક માર્કેટ માટે છે?
આ એક જીવન-સિદ્ધાંત છે. તમે તેને રિયલ એસ્ટેટ, સ્ટાર્ટઅપમાં રોકાણ કે પોતાના કરિયરના નિર્ણય લેવામાં પણ ઉપયોગ કરી શકો છો. તે તમને જીવનના દરેક મહત્વપૂર્ણ નિર્ણય ગંભીરતાથી લેવા માટે પ્રેરિત કરે છે.
4. આ નિયમ ડાયવર્સિફિકેશનના (Diversification) ના સિદ્ધાંતથી કેટલો અલગ છે?
આ ડાયવર્સિફિકેશનની વિરુદ્ધ નથી, બલ્કે તે તેને વધુ સારું બનાવે છે. વૈવિધ્યકરણનો અર્થ એ નથી કે તમે 50-100 અજાણ્યા શેર ખરીદો. આ નિયમ મુજબ, તમે વિવિધ ક્ષેત્રોની 15-20 સારી રીતે સંશોધિત, મજબૂત કંપનીઓમાં રોકાણ કરીને એક ઉત્તમ અને સલામત પોર્ટફોલિયો બનાવી શકો છો.