Bank Holiday : આવતીકાલે પણ બેંકો રહેશે બંધ...જાણો RBIએ સોમવારે કેમ આપી રજા ?

Bank Holiday : 21 એપ્રિલ 2025ના રોજ દેશના કેટલાક ભાગોમાં બેંકો બંધ રહેશે. જો કે, ગ્રાહકો કોઈપણ વિક્ષેપ વિના ડિજિટલ માધ્યમથી નાણાં ટ્રાન્સફર અને બિલની ચૂકવણી તેમજ અન્ય ટ્રાન્જેક્શન કરી શકશે. 
 

Bank Holiday : આવતીકાલે પણ બેંકો રહેશે બંધ...જાણો RBIએ સોમવારે કેમ આપી રજા ?

Bank Holiday : જો તમે સોમવારે બેંક જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલે એટલે કે 21મી એપ્રિલ 2025ના રોજ દેશના કેટલાક ભાગોમાં બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલ બેંક હોલીડે કેલેન્ડર અનુસાર, પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં ગરિયા પૂજાના અવસર પર બેંકો બંધ રહેશે. આ રજા RBIના નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આપવામાં આવી છે.

જો કે, આ રજા માત્ર ત્રિપુરા રાજ્યમાં જ લાગુ થશે. તેનો અર્થ એ છે કે દેશના બાકીના ભાગોમાં બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. બેંક શાખાઓ બંધ હોવા છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI અને ATM સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. ગ્રાહકો કોઈપણ વિક્ષેપ વિના ડિજિટલ માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરી શકે છે, બિલની ચુકવણી કરી શકે છે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે.

ગરિયા પૂજા શું છે ?

ગરિયા પૂજા ત્રિપુરાનો મુખ્ય પરંપરાગત તહેવાર છે. આ તહેવાર ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર 'ગરિયા' માતાને સમર્પિત છે, જે સમૃદ્ધિ, ખેતી અને સુખની દેવી છે. આદિવાસી રિવાજો મુજબ, આ દિવસ સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાઓને પણ પ્રતિબિંબિત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news