)
Manoj Kumar Death News Live Updates : પીઢ ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની ઉંમરમાં મનોજ કુમારે અંતિમ શ્વાસ લીધા છે. મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ભારત કુમારના નામથી જાણીતા હતા. દેશભક્તિની ફિલ્મોથી તેઓ લોકપ્રિય બન્યા હતા. આવતીકાલે સવારે મનોજ કુમારના અંતિમ સંસ્કાર થશે.
તેઓ અભિનેતાની સાથે ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક પણ હતા. તેમનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા એબટાબાદમાં થયો 1937માં થયો હતો. તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી હતું. તેમણે શબનમ ફિલ્મમાં દિલીપ કુમારના પાત્રના નામ પરથી પ્રેરાઈને પોતાનું નામ બદલીને મનોજ કુમાર કર્યું હતું. તેમને પદ્મશ્રી, દાદા સાહેબ ફાળકે સહિતના સન્માન મળી ચુક્યા છે. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં અનેક દેશભક્તિની ફિલ્મો કરી હતી. તેથી જ તેમને ભારત કુમાર કહેવામાં આવતા હતા. તેમની ક્રાંતિ, ઉપકાર જેવી ફિલ્મો આજે પણ ક્લાસિક ગણાય છે. મનોજ કુમારના નિધનથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે.
પીઢ ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન; 87 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ#ManojKumar #BreakingNews #Bollywood #News #LIVE pic.twitter.com/sJyS3BupLw
— Zee 24 Kalak (@Zee24Kalak) April 4, 2025
ગુજરાતી અભિનેતા મનોજ જોશીએ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, તેમનું નિધન દુખદ બાબત છે. ફિલ્મ જગત માટે મોટી ખોટ છે. વિદ્વાન પંડિતના નામે લોકો તેમને ઓળખતા. તેમનું વાંચન ભરપૂર હતું. નિર્દેશકની સાથે સારા લેખક પણ હતા. ભારત અને દેશભક્તિ તેમના હૃદયમાં વસેલી અદભૂત બાબત હતી.
મનોજ કુમાર અને પોતાના નામ સાથે જોડાયેલા એક કિસ્સા વિશે મનોજ જોશીએ જણાવ્યું કે, મારું નામ તેમની ઉપકાર નામના ફિલ્મ બાદ પડ્યું હતુ. ઉપકાર ફિલ્મ મારા માતાપિતા જોવા ગયા હતા. તેના બાદ મારા માતાપિતાએ એમના નામ પરથી મારું નામ આપ્યું હતું.
મનોજ જોશીએ આગળ કહ્યું કે, મને તેમની સાથે કામ કરવાનો મોકો નથી મળ્યો, પરંતું હું અનેકવાર તેમને મળ્યો છું.