Anupamaa માંથી વનરાજને કાઢી મુકવા અંગે સામે આવ્યું સત્ય, શોમાં આવશે એક પછી એક ટ્વિસ્ટ

રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ટીવી સીરિયલ 'અનુપમા' માં (Anupama) ઘણા ટ્વિસ્ટ એક સાથે આવવાના છે

Anupamaa માંથી વનરાજને કાઢી મુકવા અંગે સામે આવ્યું સત્ય, શોમાં આવશે એક પછી એક ટ્વિસ્ટ

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદાલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ટીવી સીરિયલ 'અનુપમા' માં (Anupama) ઘણા ટ્વિસ્ટ એક સાથે આવવાના છે. ભૂતકાળમાં એક અફવા હતી કે શાના મેલ લીડ વનરાજ એટલે કે સુધાંશુ પાંડેનું શોમાંથી પત્તુ કપાવવા જઈ રહ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ શોમાં એક નવા એક્ટરની એન્ટ્રી થશે, જે અનુપમાના જીવનમાં ખુશી ફેલાવશે. આવી સ્થિતિમાં, હવે નિર્માતાઓ પોતે આગળ આવીને તેના વિશે વાત કરી રહ્યા છે.

સુધાંશુ પાંડે રહેશે 'અનુપમા'નો હિસ્સો
સિરીયલ 'અનુપમા'ના (Anupama) નિર્માતા રાજન શાહીએ એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે વનરાજ એટલે કે સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) આ શો છોડીને ક્યાંય પણ જતા નથી. તે પહેલાંની જેમ આ શોમાં મેલ લીડની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય રાજન શાહીએ જણાવ્યું હતું કે આ શોમાં નવા પાત્રની એન્ટ્રી ચોક્કસપણે થવાની છે, જેની શોધ હજી પૂરી થઈ નથી. આ શોમાં નવું પાત્ર અનુપમાને મદદ કરતા જોવા મળશે. ઉપરાંત નવું પાત્ર બીજી લીડ તરીકે જોવા મળશે.

TRP નો છે આખો ખેલ
માનવામાં આવી રહ્યું છે કે શોના નિર્માતા TRP માં મોટા કૂદકા માટે આ કરવા જઇ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સિરિયલ 'અનુપમા'ને (Anupama) આનાથી કેટલો ફાયદો થાય છે. આ પહેલા, રામ કપૂરથી રોનીત રાયની એન્ટ્રીની વાત સામે આવી હતી, જેમાંથી કોઈની પુષ્ટિ થઈ શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news