હવે ક્યારેય પડદા પર જોવા નહીં મળે દયા અને જેઠાની જોડી? સામે આવ્યું ચોંકાવનારું કારણ

દિશાએ 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો

હવે ક્યારેય પડદા પર જોવા નહીં મળે દયા અને જેઠાની જોડી? સામે આવ્યું ચોંકાવનારું કારણ

મુંબઈ : તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ ભજવતી દિશા વાકાણી ટૂંક સમયમાં કમબેક કરવાની છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દિશા હવે શોમાં નહીં જોવા મળે. હકીકતમાં સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે દિશા વાકાણીના પતિ મયુર પડિયા નથી ઈચ્છતા કે તે હાલમાં ફરી સ્ક્રીન પર આવે. આ સંજોગોમાં દયા અને જેઠાની જોડીને હાલમાં સાથે જોવાના ચાહકોના ચાન્સ પર પાણી ફરી વળ્યું છે.

ચર્ચા પ્રમાણે દિશા શોમાં પાછી આવવા માગે છે. તે શોમાં પાછી ફરે તેના માટેની તૈયારી પણ કરી લેવાઈ હતી. દિશાએ પોતાની એન્ટ્રીનો પ્રોમો પણ શૂટ કરાવી લીધો હતો, પણ તેના પતિ આ વાતથી ખુશ નહોતા. તેમના પતિ ઈચ્છે છે કે દિશાના હાલમાં દીકરી સ્તુતીના ઉછેરમાં ધ્યાન આપે કારણ કે દીકરી બહુ નાની છે. 

દિશાએ 30 નવેમ્બર, 2017એ દીકરીને જન્મ આપ્યો હતો. દિશા ત્યારથી પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી હતી અને શોમાં નજરે નહીં પડે. શોમાં તેની કોસ્ટાર્સ સિવાય તેમના ફેન્સ તેની કમબેકની રાહ જોઈ રહ્યા છે. દિશાએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં તારક મહેતા.. શો માટે અંતિમ વખત શૂટ કર્યું હતું. હવે જ્યારે કમબેકની ગણતરી ચાલી રહી હતી ત્યાં મામલાએ નવો વળાંક લેતા મેકર્સ અવઢવમાં મુકાઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news