હવે સલમાન ખાનની આ ફિલ્મ વીએચપીના ટાર્ગેટ પર, જાહેરાત કરી કે...

‘લવરાત્રિ’થી સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્માને લોન્ચ કરવાનો છે

હવે સલમાન ખાનની આ ફિલ્મ વીએચપીના ટાર્ગેટ પર, જાહેરાત કરી કે...

મુંબઈ : સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્માને ફિલ્મ ‘લવરાત્રિ’થી બોલિવૂડમાં હીરો તરીકે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો્ છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરે રિલીઝ થવાની છે પણ હાલમાં આ ફિલ્મના નામને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. હાલમાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સંગઠન આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે કારણ કે ફિલ્મનું નામ ‘લવરાત્રિ’ હિંદૂ તહેવાર નવરાત્રિના નામને બગાડે છે.

મીડિયા સાથેની વાતચીતમાં VHPના આંતરરાષ્ટ્રીય કાર્યવાહક અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, “અમે ‘લવરાત્રિ’ ફિલ્મને દેશના સિનેમાઘરોમાં નહીં ચાલવા દઈએ. અમે નથી ઈચ્છતા કે આ ફિલ્મથી હિંદૂઓની ભાવનાને ઠેસ પહોંચે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ નવરાત્રિના બેકડ્રોપ આધારિત છે, જે એક હિંદૂ તહેવાર છે અને આ નામ આ તહેવારનો અર્થ બગાડે છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ એ જ રખાઈ છે જ્યારે નવરાત્રિનો તહેવાર આવે છે.”

‘લવરાત્રિ’માં આયુષ શર્મા સાથે વારીન હુસૈન કામ કરી છે. આ ફિલ્મ બંનેની પહેલી ફિલ્મ છે. આયુષ સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે. બંનેના લગ્ન 2014માં થયા હતા. SKF એટલે કે સલમાન ખાન ફિલ્મ્સની આ 5મી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલા કરે છે તેમની પણ આ ડેબ્યૂ ડાયરેક્ટેડ ફિલ્મ છે. આ પહેલા અભિરાજ મીનાવાલા ફિલ્મ સુલતાનમાં આસિટંટ ડાયરેક્ટર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news