આખરે ખુલી ગયો ભેદ! શું હતું સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું સાચું કારણ? CBIના ક્લોઝર રિપોર્ટમાં ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈએ કોર્ટમાં પોતાનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટ મુંબઈ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી છે. તેની હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.

આખરે ખુલી ગયો ભેદ! શું હતું સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું સાચું કારણ? CBIના ક્લોઝર રિપોર્ટમાં ખુલાસો

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2020માં ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના આકસ્મિક મૃત્યુને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. કેટલાક અહેવાલોમાં કથિત હત્યાનો પણ ખુલાસો થયો છે. હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. 

સીબીઆઈએ શનિવારે એક રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં અભિનેતાના મૃત્યુનું સાચું કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિવંગત અભિનેતાની હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

Add Zee News as a Preferred Source

CBIના રિપોર્ટમાં શું છે?
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. તેને કોઈએ દબાણ કર્યું ન હતું. તપાસ દરમિયાન આ કેસમાં કોઈ ગુનાહિત એંગલ અથવા 'ફાઉલ પ્લે' (ષડયંત્ર) મળી આવ્યું નથી. AIIMSની ફોરેન્સિક ટીમે પણ હત્યાની શક્યતાને નકારી કાઢી છે. રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ મળી છે. સોશિયલ મીડિયા ચેટ્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવી છે, જેમાં છેડછાડ સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી.

પરિવારજનોએ કર્યો હતો એવો આક્ષેપ કે...
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર વતી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ અભિનેતાને આત્મહત્યા, ચોરી, છેતરપિંડી અને ગેરકાયદેસર બંધક બનાવી રાખવા અને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવતા પટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ પછી બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે અધિકારક્ષેત્રને લઈને ઘણો વિવાદ થયો. બિહાર સરકારની ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ કેસ સીબીઆઈને સોંપ્યો હતો. આ પછી, 19 ઓગસ્ટ, 2020 ના રોજ, સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને આ કેસની તપાસ કરવાની સત્તા આપવામાં આવી હતી.

AIIMSના રિપોર્ટમાં શું થયો ખુલાસો?
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં AIIMSની ફોરેન્સિક ટીમે ગળું દબાવવાની અને ઝેરની શંકાને નકારી કાઢી હતી. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ તેની તપાસ પૂર્ણ કરી છે. જો કે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા રિપોર્ટને કોર્ટ સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. અથવા વધુ તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી શકે છે. હવે CBIનો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં જાહેર થયા બાદ સુશાંત સિંહ રાજપૂત પાસે મુંબઈ કોર્ટમાં પ્રોટેસ્ટ પિટીશન દાખલ કરવાનો વિકલ્પ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news