Sanjay Dutt ની બહેનોએ આ કારણથી Aishwarya Rai ની નજીક ન જવાની આપી હતી ચેતાવણી

ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) સુંદરતા પર દરેક જણ ફિદા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રી જ નહી પરંતુ આખી દુનિયા તેની સુંદરતાના વખાણ કરે છે.

Sanjay Dutt ની બહેનોએ આ કારણથી Aishwarya Rai ની નજીક ન જવાની આપી હતી ચેતાવણી

નવી દિલ્હી: ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) સુંદરતા પર દરેક જણ ફિદા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રી જ નહી પરંતુ આખી દુનિયા તેની સુંદરતાના વખાણ કરે છે. એક જમાનામાં સંજય દત્ત પણ ઐશ્વર્યા રાય બચ્ચનની ખૂબીસૂરતીના દિવાના થઈ ગયા હતા. 

જી હા અમારી સહયોગી સાઈટ બોલીવુડ લાઈફમાં પ્રકાશિત એક ખબર અનુસાર સંજય દત્તએ જ્યારે ઐશ્વર્યાને એક એડમાં જોઈ ત્યારથી તેની સુંદરતા પર ફિદા થઈ ગયા હતા, પરંતુ સંજય દત્તની બહેનોએ સખત ચેતવણી આપી હતી કે તે એશ્વર્યાની નજીક ના જાય. તમે વિચારી રહ્યા હશો કે કેમ સંજયની બહેનોએ તેના પર આવો પ્રતિબંધ લગાવ્યો હતો. 

જોકે, ઐશ્વર્યાએ તે સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પણ નહોતી કરી અને સંજય દત્તની કેસાનોવા ઈમેઝથી પૂરી ઈન્ડસ્ટ્રી વાકેફ હતી, સંજય દત્તની બહેનોને તેના હાવભાવ વિશે પૂરી જાણકારી હતી. સંજય દત્તની બહેનો ઐશ્વર્યાને ખૂબ પંસંદ કરતી હતી અને તે નહોતી ઈચ્છતી કે સંજય દત્ત ઐશ્વર્યાની નજીક જાય કે તેને પ્રેમ કરે.

સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે તેની બહેનોએ તેને કહ્યું હતું કે તું તેની નજીક જઈને પોતાના પ્રેમનો ઈકરાર ના કરતો કે ના તેનો નંબર લેતો કે ના તેને ફૂલ આપતો, જણાવી દઈએ કે સંજય દત્ત અને ઐશ્વર્યા રાયનો એક ફોટોશૂટ સિનેબ્લિટ્સ માટે ત્યારે થવાનો હતો. 

સંજય દત્તને પોતાની બહેનોની આ ચેતવણીને ધ્યાનમાં રાખી ત્યારે તે ઐશ્વર્યા રાયની નજીક ના પહોચી શક્યા. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચનએ વર્ષ 1997 માં મણિરત્નમની તમિલ ફિલ્મ ઈરૂવર’ થી અભિનયની શરૂઆત કરી હતી અને ફિલ્મ ઓર પ્યાર હો ગયા થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો.

વર્ષ  2005માં સંજય દત્ત સાથે એશ્વર્યા રાયની જોડી ફિલ્મ શબ્દમાં નજર આવી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખૂબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ. જવા દો સંજય દત્ત અને બચ્ચન પરીવાર સાથે સારા સંબંધો છે. અને સંજય ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન સારા મિત્રો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news