પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 3 બોટ સહિત 18 માછીમારોનું કરાયું અપહરણ

પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જખૌ નજીકના દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાંથી 18 જેટલા માછીમારોને પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા તમામનું અપહરણ કરવામાં આવ્યું હતું. 
પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 3 બોટ સહિત 18 માછીમારોનું કરાયું અપહરણ

કચ્છ : પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જખૌ નજીકના દરિયામાં ગુજરાતની ત્રણ બોટમાંથી 18 જેટલા માછીમારોને પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા તમામનું અપહરણ કરવામાં આવ્યું હતું. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સોમવારે પોરબંદરી એક બોટ અને ઓખાની બે બોટમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની ટીમ આવી પહોંચી હતી. માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતી માછીમારોને પાકિસ્તાની એજન્સીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ગુજરાતના માછીમારોમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પાકિસ્તાની મરીનની નાપાક હરકત સામે આવી છે. જેમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળ અને પોરબંદરી તમામ બોટો હતો. ભારતી બોટ ડીપ સીમાં જાય ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news