પહેલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહનો અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.
Trending Photos
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા આંતકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જેમાં જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓના પણ મોત નિપજ્યાં હતા. ત્યારે ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહોને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. ભાવનગરના બે મૃતકોના મૃતદેહોને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં મંત્રીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બન્નેના મૃતદેહોને રોડ માર્ગે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે સુરતના યુવકનો મૃતદેહ ફ્લાઇટમાં સુરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરતના એક મૃતક પ્રવાસી સાથે તેમના અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. થોડીવારમાં જ સુરતના યુવકનો મૃતદેહ પણ સુરત એરપોર્ટ પર પહોંચશે.
પહલગામ હુમલામાં ભાવનગરનાં મૃતકોને શ્રદ્ધાંજલિ, કાલે સવારે પિતા-પુત્રની કરાશે અંતિમવિધિ#JammuKashmir #TerroristAttack #terrorist #pahalgam #pahalgamattack #PahalgamTerroristAttack #Kashmir #trending #trendingnow #trendingvideo #ZEE24KALAK pic.twitter.com/4gYkx6WYPX
— Zee 24 Kalak (@Zee24Kalak) April 23, 2025
આતંકી હુમલામા મૃત્યું પામેલા મૃતકના નામ
શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત)
યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર)
સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર)
ભાવનગરના ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વિનોદભાઈ ત્રિભોવનભાઈ ડાભી નામના આધેડને પણ હાથના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ભાવનગર અને પાલીતાણા મળી કુલ 20 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. જ્યારે આ ઘટના બાદ હજુ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રનો પણ સંપર્ક ન થતા તંત્રમાં દોડધામ મચી હતી. પરંતુ આજે સવારે મળેલા લિસ્ટમાં ભાવનગરના પિતા-પુત્રના મોતની પુષ્ટિ થઈ ચૂકી હતી.
ભારતની પાકિસ્તાન સામે કડક કાર્યવાહી
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. ભારતમાં દુશ્મન દેશના દૂતાવાસ બંધ કરવામાં આવશે અને બધા રાજદ્વારીઓને દેશ છોડવા માટે ફક્ત 48 કલાકનો સમય આપવામાં આવશે. આ ઉપરાંત સિંધુ જળ સંધિને સમાપ્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે પાકિસ્તાનમાં પાણીનું સંકટ સર્જાઈ શકે છે. આ કરાર બન્ને દેશો વચ્ચે 1960થી અમલમાં છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય પાકિસ્તાન માટે મોટો ફટકો હશે અને પાણીના સંકટને કારણે તે ઘૂંટણિયે પડી શકે છે. ભારતે પણ પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને રાજદ્વારીઓ અને અન્ય કર્મચારીઓને તાત્કાલિક અસરથી પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.
બધા પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને હાલમાં જે લોકો ભારત આવ્યા છે તેમને ભારત છોડવું પડશે. ભારત સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને તેમાં કેટલાક વધુ કડક નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે અવરજવર માટે ઉપયોગમાં લેવાતી અટારી સરહદ તાત્કાલિક અસરથી બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓના જવાબમાં હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આવી સ્થિતિમાં, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી, ત્યારે સરકાર પાસેથી કડક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી હતી. આ દિશામાં આગળ વધીને, મોદી સરકારે કઠોર નિર્ણયો લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે