ગુજરાતમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગામાં કરોડોનું કૌભાંડ સામે આવતા ખળભળાટ, મંત્રી પુત્ર સહિત 35 એજન્સીઓની યાદી જાહેર

Gujarat MANREGA Scam: દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે.

ગુજરાતમાં નકલી NA કૌભાંડ બાદ મનરેગામાં કરોડોનું કૌભાંડ સામે આવતા ખળભળાટ, મંત્રી પુત્ર સહિત 35 એજન્સીઓની યાદી જાહેર

Dahod News: દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં હેઠળ કરવાના થતા કામોમાં અધધ કહી શકાય તેમ તેવી નીતિરીતિ અખત્યાર કરી ખોટા દસ્તાવેજૉ ઊભા કરી નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે ચાર વર્ષનો સમયગાળા દરમિયાન દેવગઢબારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી સમગ્ર કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો. 

તેને બદલે અન્ય એજન્સીઓને આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવી સરકારી અધિકારી કર્મચારી,વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી અને કીમતી દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. જે બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ ૩૫ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ તો ત્રણ જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતી સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગા ના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડ નો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 

જોકે આ કૌભાંડ સામુહિક યોજના ના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયજીનિંગ રહી કામ કરવા એસઆઇટીની ટીમ બનાવી તપાસનો દોર લંબાવ્યો છે. દાહોદ પોલીસ દ્વારા ગુનો નોંધી 4 જેટલા અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે તાલુકા પંચાયત ના આઉટસોર્સિંગ ACCOUNT ASSISTANT કર્મચારી જયવીર નાગોરી,મહિપાલ સિંહ ચૌહાણ GRS ગ્રામ રોજગાર સહાયક ની પણ ધરપકડ કરવામાં આવી બારીયા ફુલસિંહ રમેશ , મંગળ સિંહ પટેલીયા ની ધરપકડ કરાઈ છે. 

એજન્સીની આડમાં કોણે ખેલ કર્યો ?
પોલીસે માલ સપ્લાય કરતી દેવગઢ બારીયા ની 28 તેમજ ધાનપુરની સાત મળી 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ એજન્સીઓએ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો. પોતે ટેન્ડર પ્રક્રિયા L માં પણ આવતા નથી. અને માલ સપ્લાય કરવા માટે સરકારે અધિકૃત પણ નથી કર્યા તેવી એજન્સી ની હકીકત જાણવા છતાં સરકારી બાબુઓએ ગેરકાયદેસર રીતે સરકારી નાણા મેળવી નાણા ચૂકવી બિન પાત્રતા ધરાવતી આ એજન્સીઓએ સ્થળ પર અધુરા કામો કરી અધિકારીઓ પાસે કમ્પ્લીટેશન સર્ટી મેળવી કામોના બિલ મંજુર કરાવી લીધા છે. આ સમગ્ર કૌભાંડમાં ભાગ ભજવનાર એજન્સીના પ્રોપરરાઇટર કોણ છે. જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારિયો એજન્સીની હકીકત જાણવા છતાં સરકારને છેતરપિંડી કરી નાણાની ઉચાપત કરી છે. ત્યારે આ સમગ્ર ખેલમાં કયા અધિકારીઓએ નેતાઓ જોડે મળી ખેલ કર્યો છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે

ત્રણ ગામોમાં 71 કરોડની ગેરરીતી તો આખા જિલ્લામાં ગેરરીતિનો આંકડો કેટલો.?
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારની બુમો વચ્ચે રાજેન્દ્ર તપાસ હાથ ધરી હતી જેમાં ધાનપુર તાલુકાના સીમામોઈ તેમજ દેવગઢ બારીયાના કુવા તેમજ રૈયાણા ગામમાં મનરેગા ના કામોની સ્થળ તપાસણી કરતા 2021 થી 2024 દરમિયાન ના સમય ગાળામાં કરેલા કામોમાં કુલ ૭૧ કરોડના કામોમાં ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું છે. તો આખા જિલ્લાના ગામોમાં મનરેગા અંતર્ગત કરેલા કામોની સ્થળ ચકાસણી કરવામાં આવે તો અધધ કહી શકાય તેમ મનરેગાનું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે

મનરેગાના કામોમાં મટીરીયલના 160 કરોડ જીલ્લા પંચાયત પાસે મટીરિયલના બાકી
વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગાના કામોમાં મટીરીયલ પૂરું પાડનાર એજન્સીઓ જિલ્લા પંચાયત પાસે મટીરીયલ ના 160 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ બાકી નીકળતી રકમ તત્કાલીન DDO રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળની છે. પરંતુ આ બાકી નીકળતી રકમમાં નવનિયુક્ત DDO દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. કારણકે મટીરીયલ ના કામોમાં જે તે સમયે ગેરરીટી ખાતરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું છે. 

મંત્રી પુત્ર સહિત 35 એજન્સીઓના નામોની યાદી
શ્રીરાજ ટ્રેડર્સ,જય જલારામ સ્ટીલ ટ્રેડર્સ એન્જિન એન્ટરપ્રાઇઝ રોયલ હાર્ડવેર મહાલક્ષ્મી ટ્રેડર્સ કેકે ટ્રેડર્સ શ્રી વ્રજેશ સ્ટીલ ટ્રેડર્સ સાંઈ કૃપા સપ્લાયર્સ પ્રમુખ સિમેન્ટ ડેપો જય જલારામ ટ્રેડર્સ પદ્માવતી સેલ્સ એજન્સી મા ખોડીયાર કન્સ્ટ્રક્શન એન્ડ સપ્લાયર દેવગઢ ટ્રેડર્સ પ્રકાશ એન્જિનિયરિંગ એન્ડ બોરવેલ માં સરસ્વતી ટ્રેડર્સ શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપની પીપેરો રાધેશ્યામ વેલ્ડીંગ વર્કસ રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન શ્રી મારુતિ કૃપા સિમેન્ટ આર્ટિકલ ગુજરાત સપ્લાયર્સ જશુભાઈ ધનાભાઈ નાયક ભાઈ ભાઈ ટ્રેડર્સ એનએલ ટ્રેડિંગ શ્રીરામ કન્સ્ટ્રકશન પટેલ મીનાબેન મનહરસિંહ ઉમાબેન મદનલાલ પટેલિયા ઘનશ્યામ ટ્રેડર્સ અને રાજ બાલા અક્ષર સિંહ સોલંકી નો સમાવેશ થાય છે તો ધાનપુર તાલુકાની મનરેગા યોજના હેઠળની એજન્સીઓમાં કબીર કૃપા સિમેન્ટ ડેપો રાજ ટ્રેડર્સ રાજેન્દ્ર કન્સ્ટ્રક્શન શ્રી રાજ શ્યામજી ટ્રેડિંગ કંપની શ્રી રાજ ટ્રેડર્સ ઉજાલા ફાઉન્ડેશન દેવગઢબારિયા અને ઉમાબેન મદનલાલ પટેલિયા નો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news