જૈન સમાજનો સુવર્ણ ઈતિહાસ લખાય તેવો દીક્ષા સમારોહ, 8 પરિવારો ઘરને તાળા મારીને સંયમના માર્ગે નીકળ્યા

અમદાવાદમાં જૈન સમાજે (Jain Samaj) સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. એક સાથે 74 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. ખાસ વાત તો એ છે કે, 8 પરિવારો એવા છે જેમના સભ્યોના દીક્ષા લેવાથી તેમના પરિવારમાં તાળા લાગશે. આ પરિવારના તમામ સભ્યો સંયમના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. આ પરિવારો સુરત, મુંબઈ, અમદાવાદના છે. 
જૈન સમાજનો સુવર્ણ ઈતિહાસ લખાય તેવો દીક્ષા સમારોહ, 8 પરિવારો ઘરને તાળા મારીને સંયમના માર્ગે નીકળ્યા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં જૈન સમાજે (Jain Samaj) સુવર્ણ ઇતિહાસ લખ્યો છે. એક સાથે 74 મુમુક્ષુની વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. ખાસ વાત તો એ છે કે, 8 પરિવારો એવા છે જેમના સભ્યોના દીક્ષા લેવાથી તેમના પરિવારમાં તાળા લાગશે. આ પરિવારના તમામ સભ્યો સંયમના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. આ પરિવારો સુરત, મુંબઈ, અમદાવાદના છે. 

કયા કયા પરિવારોએ દીક્ષા લીધી

  • ભોરોલતીર્થના ગુણવંતભાઈ અને મીનાબેન 4 દીકરીઓને અગાઉ દીક્ષા આપી હતી. હવે 17 વર્ષના એકના એક દીકરા વિમલ સાથે સંસારત્યાગ કરશે. 
  • સુરતના વિપુલભાઈ બે દીકરા તથા ધર્મપત્ની સાથે દીક્ષા લેશે. 
  • સુરતના જેતડાવાળા અશોકભાઇ સજોડે એકના એક દીકરા પરમ સાથે દીક્ષા લેશે
  • ઘોઘારી સમાજના મુબઇના વિરેન્દ્રભાઇ સજોડે દીક્ષા લેશે. અગાઉ બે નાની દિકરીઓને દીક્ષા અપાવી હતી
  • પાલડીના ભરતભાઇના 4 સંતાનોએ અગાઉ દીક્ષા લાધી હતી, હવે તેઓ પત્ની સાથે સજોડે સંયમ માર્ગે નીકળી રહ્યાં છે.
  • મુંબઇના લલિતભાઇ સજોડે દિકરા માનવ અને બે દીકરી સંગ પાંચ પરિવારજનો સંયમ લેશે. 
  • પાર્શ્વ શાંતિધામ તીર્થના સ્થાપક સાચોરના ધનાઢ્ય પરિવારના 4 પરિવારજનો મુકેશભાઈ, તેમના ધર્મપત્ની તથા દીકરા યુગ તથા દીકરી સાથે દીક્ષા લેશે
  • કરાડના માત્ર 33 વર્ષનું દંપતી અંકિતભાઇ સજોડે દીક્ષા લેશે. 
  • અમદાવાદના વિશ્વાકુમારી ભાવેશભાઇ ભંડારી અને ભાઇ ભવ્યકુમાર ભંડારી પણ સંગાથે સંયમમાર્ગે જશે. 
  • સંઘવી ગીરીશભાઈ અમૃતલાલ ભંડારીનો પરિવાર પણ દીક્ષા લેશે 

આમ, આ તમામ પરિવારોમાં હવે કોઈ બચ્યુ નથી, તમામ સભ્યો સંયમના માર્ગે જવાનું નક્કી કરી લીધું છે. જૈન સમુદાયના 74 દીક્ષાર્થીના મહાભિનિષ્ક્રમણની ભવ્ય ઉજવણી અંતર્ગત અમદાવાદમાં હજારો ભાવિકોની ઉપસ્થિતમાં ભવ્ય વર્ષીદાનની શોભાયાત્રા રવિવારે યોજાઇ હતી. આ શોભાયાત્રામાં સામેલ તમામ મુમુક્ષો આગામી 29 નવેમ્બર સુરતમાં દીક્ષા ગ્રહણ કરીને ઇતિહાસ રચશે. જૈન શાસનના વિજય માર્ગની વિજય ધ્વજા લહેરાવતી અનેક વિશિષ્ટતાઓ સાથે ભવ્ય વર્ષીદાનનો વરઘોડો સવારે 10 કલાકે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા સુમતિનાથ જિનાલાયથી ઋજુવાલિકા ફ્લેટથી સત્યવાદી સોસાયટી થઇ પંચશીલ રેસીડેન્સી પહોંચ્યો હતો. અહીંથી તલાવડી થઇ નારણપુરા રેલવે ક્રોસિંગ થઇને ડી.કે.પટેલ હોલ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. હવે આગામી 27 ઓક્ટોબરે હિંમતનગરમાં તમામ મુમુક્ષો નો વર્ષીદાનનો વરઘોડો યોજાશે. ત્યારબાદ 29 નવેમ્બરે સુરતના શાંતિવર્ધક જૈન સંઘ પાલ ખાતે સૂરિ જિન સંયમ કૃપા પાત્ર જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી ની નિશ્રામાં એક સાથે 74 મુમુક્ષો દીક્ષા લઈ સંસારનો ત્યાગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news